Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ
-ભO-13(૫) ભગવતી અંગ-સૂત્ર/પ
- અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન
• ભૂમિકા :
“ભગવતી” એ પાંચમું આગમ છે, અંગસૂત્રોમાં ભગવતી એ પાંચમું અંગસૂત્ર છે. પ્રાકૃતમાં તે જવ નામે પ્રસિદ્ધ છે, તે “વિવાપન્નર'' કે 'વિવાદ' નામે પણ ઓળખાય છે. સંસ્કૃતમાં આ સૂત્ર ભજવતી અને ચાર પ્રાપ્તિ નામે ઓળખાય છે. વ્યવહારમાં તો ભગવતી-મૂળ નામે જ પ્રસિદ્ધ છે. આ સૂગનું એક જ શ્રુતસ્કંધ છે. તેમાં કુલ-૪૧ શતક છે. [અધ્યયનને શતક નામે ઓળખે છે.) આ શતકમાં પેય વર્ગ કે પેટા શતક પણ છે. તેના પેટા ઉદ્દેશા પણ છે.
“ભગવતી” સંગનો મુખ્ય વિષય સ્વસમય, ૫સમયની વિચારણા છે, ઇન્દ્રભૂતિ આદિ ગણધરો, કેટલાંક દેવો, શ્રાવક-શ્રાવિકાદિ અનેકના પૂછેલા પ્રશ્નો છે. તેના ભગવંતે આપેલા ઉત્તરો છે. દ્રવ્યાનુયોગની મુખ્યતાવાળા આ આગમમાં બીજા ત્રણે ચાનુયોગો પણ છે. કર્મપ્રકૃતિનું પણ વર્ણન છે, મરણના ભેદ, સમુઠ્ઠાત, અસ્તિકાય, કિયા, પુદ્ગલ, વેદના, તમસ્કાય, પ્રત્યાખ્યાન, લોક, ભાષાદિ અનેક વિષયો છે.
- આ આગમના મૂળમૂત્રોનો પૂર્ણ અનુવાદ અમે નોંધેલ છે, વિવેચનમાં “ટીકાનુસારી વિવેચન' શબ્દ અમે પસંદ કર્યો છે. પણ તેમાં વૃત્તિ સાથે ક્વચિત્ ભગવતી-ચૂર્ણિનો આધાર પણ લીધો છે. આ રીતે મુખ્યતાએ વૃત્તિનો અનુવાદ, ક્યાંક વૃદ્ધિના અંશો, ક્યાંક અન્ય સંદર્ભો નોંધ્યા છે, તો સામે પક્ષે વ્યાકરણ, ન્યાય, વાદો જેવી વસ્તુનો અનુવાદ અહીં વિવેચનમાં છોડી પણ દીધેલ છે. ત્યાં - X - X • એવી નિશાની કરેલ છે.
ભગવતી સૂત્ર અનુવાદ પાંચ ભાગોમાં મુદ્રિત થયો છે. જેમાં આ પાંચમો ભાગ છે, તેના ૧૫ થી ૨૦ શતકો ચાર ભાગમાં છપાયા છે.
ૐ શતક-૨૧ છે
– X - X – • શતક-૨૦ની વ્યાખ્યા કરી, હવે અવસર પ્રાપ્ત શતક-૨૧ કહે છે– • સૂત્ર-૮૦૬ :
શાલિ, કલાય, અલસી, વાંસ, ઈર્ષા, દર્ભ, આભ, તુલસી એ રીતે શતક૨૧ ના આઠ વર્ગ છે, [પ્રત્યેકના ૧૦] કુલ ૮૦ ઉદ્દેશ છે.
® વર્ગ-૧, ઉદ્દેશક-૧ @
– X - X - X – સગ-૮૦૩ -
રાજગૃહમાં ચાવતુ આમ પૂછયું - ભગવાન ! હવે (11) શાલી, નહી, ઘઉં, જવ, જાવજત આ (ધાન્યો)ના જીવો ભગવન્! મૂળરૂપે ઉત્પન્ન થાય, ભગવન? તે જીવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? શું નૈરયિકથી કે તિર્યંચા, મનુણ, દેવથી ? સુકાંતિ પદમાં કહ્યા મુજબ ઉપાદ કહેવો. વિશેષ એ કે - દેવનું વર્જન કરવું.
ભગવન! તે જીવો એક સમયે કેટલા ઉપજે? ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાત ઉપજે. આ જીવોનો ઉપહાર ઉપલ ઉદ્દેશ માફક કહેવો.
ભગવન! આ જીવોના શરીરની અવગાહના કેટલી મોટી છે ? ગૌતમ! જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ધનુષ પૃથd. ભગવન ! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના બંધક છે કે બંધક ? જેમ ઉત્પલ ઉદ્દેશમાં કહ્યું તેમ કહેવું. • • એ પ્રમાણે વેદન, ઉદય અને ઉદીરણા પણ કહેવા. - • ભગવન ! તે જીવો શું કૃષણલેશ્યી છે નીલલેશ્યી છે કે કાપોતલેશ્યી ? ૨૬ ભંગો કહેવા. દષ્ટિ યાવત ઈન્દ્રિયો ઉત્પલ ઉદ્દેશવત કહેવા.
ભગવાન્ ! તે શાલી, વીહી, ઘઉં, જવ, ચવકના મૂળના જીવો કેટલો કાળ રહે છે ? ગૌતમ! જઘન્ય અંતર્મુહd. ઉત્કૃષ્ટ અસંખ્યકાળ.
ભગવત્ ! તે શાલી, વીહી, ઘઉં, જવ, જાવકના મૂળના જીવો પૃedીજીવમાં ઉત્પન્ન થઈ ફરી ચાલી આદિ રૂપે કેટલો કાળ રહે? કેટલો કાળ ગતિ-આગતિ કરે ? ઉત્પલ ઉદ્દેશ મુજબ કહેવું.
એ પ્રમાણે આ આલાવાથી યાવત મનુષ્ય જીવ સુધી કહેતું. આહાર ઉત્પલ ઉદ્દેશવતુ કહેવો. • • સ્થિતિ જઘન્ય અંતર્મહd. ઉત્કૃષ્ટ વર્ષ પૃથકd. : - સમુઘાત સમવહત, ઉત્પલ ઉદ્દેશકવન કહેવા
ભગવન! શું સર્વ પ્રાણ યાવતુ સર્વ સવ શાલી, વીહી યાવત્ જવ, જવકના મૂળ જીવપણે પૂર્વે ઉત્પન્ન થયા છે? હા, ગૌતમ! અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા છે.
ભગવાન ! તે એમ જ છે, એમ જ છે.
[13/2]