Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૬
શ્રુત ભકિત
(પૂ. આચાર્ય શ્રી ઈશ્વરલાલજી મ. સા. ની આજ્ઞા અનુસાર લખનાર) ૬. સ'. ના જૈન મુનિ શ્રી. દયાનંદજી મહારાજ
તા. ૨૩-૬-૫૬ શાહપુર, અમદાવાદ. આજે લગભગ ૨૦ વર્ષથી શ્રદ્ધેય પરમપૂજ્ય, જ્ઞાનદિવાકર પ. મુનિશ્રી ઘાસીલાલજી મ. ચરમ તીર્થંકર ભગવાન મહાવીરના અનુત્તર અનુપમ ન્યાય— યુકત, પૂર્વાપર–આવરુદ્ધં, સ્વપરકલ્યાણુકારક, ચરમ શીતળ વાણીના દ્યોતક એવા શ્રી જિનાગમ પર પ્રકાશ પાડે છે. તેઓશ્રી પ્રાચીન, પૌર્વાત્ય સંસ્કૃતાદિ અનેક ભાષાના પ્રખર પતિ છે અને જિનવાણીના પ્રકાશ સંસ્કૃત, ગુજરાતી અને હિન્દીમાં મૂળ શબ્દાથૅ, ટીકા, વિસ્તૃત વિવરણ સાથે પ્રકાશમાં લાવે છે. એ જૈન સમાજ માટે અતિ ગૌરવ અને આનંદને વિષય છે.
ભ. મહાવીર અત્યારે આપણી પાસે વિદ્યમાન નથી. પરંતુ તેમની વાણીરૂપે અક્ષરદેહ ગણધર મહારાજોએ શ્રુતપરંપરાએ સાચવી રાખ્યા. શ્રુતપરંપરાથી સચવાતુ જ્ઞાન જ્યારે વિસ્તૃત થવાના સમય ઉપસ્થિત થવા લાગ્યા ત્યારે શ્રી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે વલ્લભીપુર–વળામાં તે આગમાને પુસ્તકરૂપે આરૂઢ કર્યાં. આજે આ સિદ્ધાંતા આપણી પાસે છે. તે અર્ધમાગધી ભાષામાં છે. અત્યારે આ ભાષા ભગવાનની, દેવાની તથા જનગણની ધમ ભાષા છે. તેને આપણા શ્રમણા અને શ્રમણીએ તથા મુમુક્ષુ શ્રાવક શ્રાવિકાઓ મુખપાઠ કરે છે; પરન્તુ તેના અર્થ અને ભાવ ઘણા થાડાએ સમજે છે.
જિનાગમ એ આપણાં શ્રદ્ધેય પવિત્ર ધર્મસૂત્રેા છે. એ આપણી આંખા છે. તેના અભ્યાસ કરવા એ આપણી સૌની-જૈનમાત્રની ફરજ છે. તેને સત્યસ્વરૂપે સમજાવવા માટે આપણાં સદ્ભાગ્યે જ્ઞાનદ્વિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજે સત્સ`કલ્પ કર્યાં છે. અને તે લિખિત સૂત્રોને પ્રગટ કરાવી શાસ્રાદ્ધારસમિતિ દ્વારા જ્ઞાન–પરમ વહેતી કરી છે. આવાં અનુપમ કાર્ય માં સકળ જૈનાના સહકાર અવશ્ય હોવા ઘટે અને તેના વધારેમાં વધારે પ્રચાર થાય માટે પ્રયત્નો કરવા ઘટે.
ભ. મહાવીરને ગણધર ગૌતમ પૂછે છે કે, હે ભગવાન ! સૂત્રની આરાધના કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે ? ભગવાન તેના પ્રતિ–ઉત્તર આપે છે કે શ્રુતની આરાધનાથી જીવાના અજ્ઞાનના નાશ થાય છે, અને તે સ ંસારના કલેશાથી નિવૃત્તિ મેળવે છે, અને સંસારકલેશોથી નિવૃત્તિ અને અજ્ઞાનના નાશ થતાં માક્ષ– ફળની પ્રાપ્તિ થાય છે.
: આવા જ્ઞાનના કાર્યમાં મૂર્તિ પૂજક જૈના, દિગબર અને અન્યધમી એ હજારો અને લાખા રૂપીયા ખર્ચે છે. હિન્દુ ધર્મમાં પવિત્ર મનાતા ગ્રંથ ગીતાના સેંકડો નહિ પણ હજારો ટીકા થા દુનિયાની લગભગ સવાઁ ભાષાઓમાં પ્રગટ થયા છે. ઇસાઈ ધર્મના પ્રચારકા તેમના પવિત્ર ધર્મગ્રંથ બાઈબલના પ્રચારાથે જગતની સ ભાષાઓમાં તેનું ભાષાંતર કરી, તેને પડતર કરતાં પણ ઘણી ઓછી કિંમતે વેચી ધમ