Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૫
નવાઈ નથી. અને પૂ. શ્રી ઘાસીલાલજીના બનાવેલાં સૂત્રો જોતાં સૌ કેઈને ખાત્રી થાય તેમ છે કે દામોદરદાસભાઈએ તેમજ સ્થાનકવાસી સમાજે એવી આશા શ્રી ઘાસીલાલજી મ. પાસેથી રાખેલી તે બરાબર ફળીભૂત મેલ છે.
શ્રી વર્ધમાન – શ્રમણ સંઘના આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે શ્રી વાસીલાલજી મ. નાં સૂત્રે માટે ખાસ પ્રશંસા કરી અનુમતિ આપેલ છે તે ઉપરથી જ શ્રી ઘાસીલાલજી મ. નાં સૂત્રોની ઉપયોગિતાની ખાત્રી થશે.
આ સૂત્ર વિદ્યાથીને, અભ્યાસીને તેમજ સામાન્ય વાંચકને સને એ સરખી રીતે ઉપયોગી થઈ પડે છે. વિદ્યાર્થીને તેમજ અભ્યાસીને મૂળ તથા સંત ટકા વિશેષ કરીને ઉપયેગી થાય તેમ છે ત્યારે સામાન્ય હિન્દી વાંચકને હિન્દી અનુવાદ અને ગુજરાતી વાંચકને ગુજરાતી અનુવાદથી આખું સૂત્ર સરળતાથી સસાઈ જાય છે.
કેટલાકને એ ભ્રમ છે કે સૂત્રે વાંચવાનું આપણું કામ નહિ, સૂત્ર આપણને સમજાય નહિ. આ ભ્રમ તદ્દન બેટ છે. બીજા કોઈપણ શાસ્ત્રીય પુસ્તક કરતાં સૂત્રો સામાન્ય વાંચકને પણ ઘણી સરળતાથી સમજાઈ જાય છે. સામાન્ય માણસ પણ સમજી શકે તેટલા માટે જ ભ. મહાવીરે તે વખતની લોકભાષામાં (અર્ધમાગધી ભાષામાં) સૂત્રો બનાવેલાં છે. એટલે સૂત્રો વાંચવામાં તેમજ સમજવામાં ઘણું સરળ છે.
માટે કોઈ પણ વાંચકને એવો ભ્રમ હેય તે તે કાઢી નાખવે. અને ધર્મનું તેમજ ધર્મના સિદ્ધાંતનું સાચું જ્ઞાન મેળવવા માટે સૂત્રો વાંચવાને ચૂકવું નહિ, એટલું જ નહિ પણ જરૂરથી પહેલાં સૂત્રોજ વાંચવાં.
સ્થાનકવાસીઓમાં આ શ્રી સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિએ જે કામ કરી છે અને કરી રહી છે તેવું કોઈ પણ સંસ્થાએ આજ સુધી કર્યું નથી. સ્થા. જેમ શારદાર સમિતિના છેલલા રિપોર્ટ પ્રમાણે બીજાં છ સૂત્રો લખાયેલા પડ્યાં છે, બે સૂત્રો–અનુગદ્વાર અને ઠાણાંગ સૂત્રો–લખાય છે તે પણ થોડા વખતમાં તયાર થઈ જશે. તે પછી બાકીનાં સૂત્રો, હાથ ધરવામાં આવશે.
તૈયાર સૂત્રો જદી છપાઈ જાય એમ ઈચ્છીએ છીએ અને સ્થા. બંધુઓ સરિવિને ઉજન અને સહાયતા આપીને તેમનાં સૂત્રો ઘરમાં વસાવે એમ ઈચ્છીએ છીએ.
- “જેન સિદ્ધાન્તો –મે ૧૯૫૫