Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 8
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5 “ભગવતીસૂત્ર ભાગ-૨’ ગૌતમ ! જે આ અરહંત ભગવંત ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર આદિ જેમ સ્કંદકમાં કહ્યા, યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી છે, તે બુદ્ધ છે, બુદ્ધ-જાગરિકા જાગે છે, તેની પ્રમાદ રહિત અવસ્થાને ‘બુદ્ધ જાગરીકા’ કહે છે. જે આ અણગાર ભગવંતો ઇર્ષા સમિત, ભાષા સમિત, યાવતું ગુપ્ત બ્રહ્મચારી છે, તેઓ અબુદ્ધ (અસર્વજ્ઞ)જાગરિકાથી જાગે છે.તેઓની ધર્મ જાગરણાને ‘અબુદ્ધ જાગરિકા' કહે છે. જે આ શ્રાવકો જીવાજીવના જ્ઞાતા છે યાવતુ તપોકર્મથી આત્માને ભાવિત કરતા વિચરે છે, તેઓની જાગરિકાને સુદક્ષ જાગરિકા જાગે છે. તેથી હે ગૌતમ! એમ કહે છે કે ત્રિવિધા જાગરિકા યાવતુ સુદક્ષ જાગરિકા છે. સૂત્ર-પ૩૩ ત્યારે તે શંખ શ્રાવકે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને, આમ કહ્યું - ભગવન્! ક્રોધને વશ જીવ શું બાંધે ? શું કરે ? શેનો ચય કરે ? શેનો ઉપચય કરે ? હે શંખ ! ક્રોધને વશ જીવ આયુ સિવાયની સાત કર્મપ્રકૃતિ શિથિલબંધન બદ્ધ હોય, તેને દઢ બંધનવાળી કરે છે, ઇત્યાદિ પહેલા શતકમાં અસંવૃત્ત અણગારમાં કહ્યા મુજબ કહેવું યાવતું ભ્રમણ કરે છે. ભગવન્! માનને વશ થઈને જીવના વિષયમાં પણ એ પ્રમાણે જ જાણવું. એ રીતે માયાને વશ અને લોભને વશ યાવત્ જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. ત્યારે તે શ્રાવકો ભગવંત પાસે આ અર્થને સાંભળીને, અવધારીને, ભયભીત, ત્રસ્ત, દુઃખિત, સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ ભગવંતને વંદન-નમસ્કાર કર્યા, વાંદી, નમીને, શંખ શ્રાવક પાસે આવીને, શંખ શ્રાવકને વાંદી, નમીને પોતાના કૃત્ય માટે સારી રીતે વિનયપૂર્વક વારંવાર ખમાવે છે. ત્યારે તે શ્રાવકો, ઇત્યાદિ બધું શતક-૧૧ મુજબ આલંભિકા માફક કહેવું યાવત્ પાછા ગયા. ભગવન્! એમ આમંત્રીને ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું - હે ભગવદ્ ! શંખ શ્રાવક આપ દેવાનુપ્રિય પાસે પ્રવજ્યા ગ્રહણ કરવામાં સમર્થ છે ?ગૌતમ ! તેમ શકય નથી, ઇત્યાદિ ઋષિભદ્રપુત્ર માફક કહેવું યાવતુ અંત કરશે. ભગવન! આપ કહો છો, તે એમ જ છે, તે એમ જ છે. શતક-૧૨, ઉદ્દેશા-૧નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૨, ઉદ્દેશો-૨ જયંતિ' સૂત્ર-પ૩૪ થી પ૩૬ પ૩૪. તે કાળે, તે સમયે કૌશાંબી નગરી હતી, ચંદ્રાવતરણ ચૈત્ય હતું, તે કૌશાંબી નગરીમાં સહસ્રાનીક રાજાનો પૌત્ર, શતાનીક રાજાનો પુત્ર, ચટક રાજાનો દોહિત્ર, મૃગાવતી દેવીનો પુત્ર, જયંતિ શ્રાવિકાનો ભત્રીજો એવો ઉદાયન રાજા હતો. તે કૌશાંબી નગરીમાં સહસાનીક રાજાની પુત્રવધૂ શતાનીક રાજાની પત્ની, ચેટક રાજાની પુત્રી, ઉદાયના રાજાની માતા, જયંતિ શ્રાવિકાની ભોજાઈ મૃગાવતી નામે રાણી હતી. તેણી સુકુમાલ યાવત્ સુરૂપા શ્રાવિકા હતી. યાવત્ વિચરતી હતી. તે કૌશાંબીમાં સહસાનીક રાજાની પુત્રી, શતાનીક રાજાની બહેન, ઉદાયન રાજની ફોઈ, મૃગાવતી રાણીની. નણંદ, વૈશાલિક શ્રાવક, અરહંતની પૂર્વ શય્યાતરી જયંતિ નામે શ્રાવિકા હતી. તેણી સુકુમાલ યાવત્ સુરૂપા, જીવાજીવની જ્ઞાતા યાવત્ હતી. પ૩૫. તે કાળે, તે સમયે સ્વામી સમોસર્યા યાવત્ પર્ષદા પર્યાપાસે છે. ત્યારે તે ઉદાયન રાજા આ વૃત્તાંત પ્રાપ્ત થતા હર્ષિત, તુષ્ટ થઈને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપ્રિયો ! જલદીથી કૌશાંબી. નગરીને અંદર-બહારથી, એ રીતે જેમ કૂણિકમાં કહ્યું તેમ બધું કહેવું યાવત્ પર્યાપાસે છે. ત્યારે જયંતિ શ્રાવિકા આ વૃત્તાંત જાણીને હર્ષિત-સંતુષ્ટ થઈને મૃગાવતી દેવી પાસે આવે છે, આવીને મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 8

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 240