Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
દિગમ્બર ગ્રંથ સિદ્ધાંત સંગ્રહ' માં ચૌદ કુલકર બતાવેલા છે) છેલ્લા કુલકર નાભિરાજાના પુત્ર "ઋષભ" થયા જે પ્રથમ તીર્થકર પણ હતા. તેના પુત્ર ભરત ચક્રવર્તી થયા. તીર્થકર ઋષભદેવે ધર્મચક્રની પ્રવર્તના કરી તો ભરત ચક્રવર્તીએ રાજ્ય ચક્રની પ્રવર્તન કરી. ચોથા આરામાં ત્રેવીસ ૨૩ તીર્થકર, અગિયાર ચક્રવર્તી, નવ બલદેવ, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ વગેરે મહાપુરુષો ઉત્પન્ન થાય છે.
આ રીતે આપણે જાણી શકીએ છીએ કે સમવાયાંગમાં જીજ્ઞાસુ સાધકોને માટે અને અનુસંધિત્સુઓના માટે અનેક મહત્વનાં તથ્થોનું સંકલન છે. વસ્તુ વિજ્ઞાન, જૈન સિદ્ધાંત તેમજ જૈન ઈતિહાસની દૃષ્ટિથી તે આગમ અત્યંત મહત્વનું છે. આમાં એકસોથી વધુ વિષય છે. આધુનિક ચિંતક એમ વિચારે છે કે સમવાયાંગમાં આવેલ ગણધર ગૌતમનું ૯૨ વર્ષનું આયુષ્ય અને ગણધર સુધર્મા સ્વામીનું ૧૦૦ વર્ષનું આયુષ્ય વાંચીને એ તર્ક ઊભો કરે છે કે, સમવાયાંગની રચના ભગવાનના મોક્ષે પધાર્યા પછી થઈ હશે. અમે તેના તર્કનું સમાધાન કરતાં નમ્ર વિનંતી કરીએ છીએ કે ગણધરનું આયુષ્ય વગેરે વિષયોના દેવર્ધ્વિગણિ ક્ષમા ક્ષમણે આમાં સંકલન કરેલ છે. સ્થાનાંગની પ્રસ્તાવનામાં મેં આ પ્રશ્ન ઉપર વિસ્તારથી ચિંતન પણ કરેલ છે. તે સંપૂર્ણ ઐતિહાસિક સત્ય છે કે આ આગમ ગણધર દ્વારા રચાયેલ છે.
મુખ્યરૂપથી આ આગમ ગદ્ય-પાઠરૂપમાં છે પરંતુ ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે નામાવલી તથા અન્ય વિવરણ સંબંધી ગાથાઓ પણ આવેલી છે. ભાષાની દૃષ્ટિથી પણ આ આગમ મહત્વપૂર્ણ છે. ક્યાંક ક્યાંક અલંકારોનો પણ પ્રયોગ કરેલ છે. સંખ્યાઓના આધારે ભગવાન પાર્શ્વ અને તેના પહેલાના પૂર્વવર્તી ચૌદ પૂર્વધર અવધિજ્ઞાની અને વિશિષ્ટ જ્ઞાની મુનિઓનો પણ ઉલ્લેખ છે, જે ઈતિહાસની દષ્ટિથી મહત્વપૂર્ણ છે. પ્રસ્તુત સંસ્કરણ :
| ગુજરાતી ભાષામાં આજ સુધીમાં ઘણું જ સાહિત્ય પ્રકાશિત થયેલ છે અને થઈ રહેલ છે. આગમોનું વિવેચન પણ ગુજરાતી ભાષામાં પૂજ્ય આચાર્ય શ્રી ઘાસીલાલજી મ.સા. દ્વારા પ્રકાશિત થયેલ છે. તેમાં હિન્દી અને સંસ્કૃત ટીકા પણ સાથે છે, માટે તે વિસ્તૃત અને વિશાળકાય ગ્રંથો થઈ ગયા છે.
ગુજરાતી ભાષી સ્વાધ્યાય પ્રેમી વિશાળ સમાજની જ્ઞાન પિપાસાને ધ્યાનમાં
44