Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 398
________________ [ ૩૪૨] શ્રી સમવાયાંગ સૂત્ર ઉત્તરકુરા (૨૪) ચંદ્રપ્રભા. આ દરેક શિબિકાઓ વિશાળ હતી. સર્વ જગત વત્સલ દરેક જિનવરેન્દ્રોની આ શિબિકાઓ સર્વ ઋતુઓમાં સુખદાયિની ઉત્તમ અને શુભ કાંતિથી યુક્ત હતી. १० पुव्वि ओक्खित्ता माणुसेहि, साहटु (8) रोमकूवेहिं । पच्छा वहति सीयं, असुरिंद-सुरिंद-णागिंदा ।।१९।। चल-चवल-कुंडलधरा, सच्छंद विउव्वियाभरणधारी । સુર-અસુર-વંતિમા, વાંતિ સીમં બિલi iારા पुरओ वहति देवा, णागा पुण दाहिणम्मि पासम्मि । पच्चत्थिमेण असुरा, गरुला पुण उत्तरे पासे ।।२१।। ભાવાર્થ :– તીર્થકરોની આ શિબિકાઓને સૌથી પહેલાં હર્ષથી ભાવવિભોર બની મનુષ્યો પોતાના ખભા ઉપર ઉઠાવીને લઈ જાય છે, પછી અસુરેન્દ્ર, સુરેન્દ્ર અને નાગેન્દ્ર આ શિબિકાઓને લઈને ચાલે છે. ચંચલ, ચપલ કંડલોના ધારક અને પોતાની ઈચ્છાનુસાર વૈક્રિયમય આભૂષણોના ધારણ કરનારા તે દેવગણ, સુર અસુરોથી વંદિત જિનેન્દ્રોની શિબિકાઓને વહન કરે છે. આ શિબિકાઓને પૂર્વદિશામાં દેવો (જ્યોતિષી દેવો અને વૈમાનિક દેવો), દક્ષિણદિશામાં નાગકુમારદેવો, પશ્ચિમદિશા તરફમાં અસુરકુમાર દેવો અને ઉત્તરદિશામાં ગરુડકુમાર દેવો વહન કરે છે. સહદીક્ષિત :११ उसभो य विणीयाए, बारवईए अरिट्ठवरणेमी।। अवसेसा तित्थयरा, णिक्खंता जम्मभूमीसु ।।२२।। ભાવાર્થ :- ઋષભદેવ વિનીતા નગરીથી, અરિષ્ટનેમિ દ્વારાવતીથી અને બાકીના દરેક તીર્થકર પોત-પોતાની જન્મભૂમિઓમાં દીક્ષા ગ્રહણ કરવાને માટે નીકળ્યા હતા. १२ सव्वे वि एगदूसेण, णिग्गया जिणवरा चउव्वीसं । _ण य णाम अण्णलिंगे, ण य गिहिलिंगे कुलिंगे व ।।२३।। ભાવાર્થ :- ચોવીસેય જિનવર એક દૂષ્ય (ઈન્દ્ર સમર્પિત દિવ્ય વસ્ત્ર)થી દીક્ષા ગ્રહણ કરવાને માટે નીકળેલા હતા. કોઈ પાખંડી લિંગથી દીક્ષિત થયા નથી, ન કોઈ ગૃહલિંગથી અને ન કોઈ કુલિંગથી દીક્ષિત થયા. પરંતુ દરેક જિન–સ્વલિંગથી જ દીક્ષિત થયા છે.) |१३ एक्को भगवं वीरो, पासो मल्ली य तिहिं तिहिं सएहिं । भगवं पि वासुपुज्जो, छहिं पुरिससएहिं णिक्खतो ।।२४।।

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433