Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અગિયારમું સમવાય
[૫૯]
ભાવાર્થ :- લાત્તક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ અગિયાર સાગરોપમની છે. તેમાં જે દેવ બ્રહ્મ, સુબ્રહ્મ, બ્રહ્માવર્ત, બ્રહ્મપ્રભ, બ્રહ્મકાંત, બ્રહ્મવર્ણ, બ્રહ્મલેશ્ય, બ્રહ્મધ્વજ, બ્રહ્મશૃંગ, બ્રહ્મસૃષ્ટ, બ્રહ્મકૂટ અને બ્રહ્મોત્તરાવર્તસક નામના વિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે, તે દેવોની સ્થિતિ અગિયાર સાગરોપમની છે. તે દેવ અગિયાર અર્ધમાસે (સાડા પાંચ મહિને) આન-પ્રાણ, ઉચ્છવાસ લે છે અને નિઃશ્વાસ મૂકે છે. તે દેવોને અગિયાર હજાર વર્ષ પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. |७ संतेगइया भवसिद्धिया जीवा जे एक्कारसहिं भवग्गहणेहिं सिज्झिस्संति बुज्झिस्सति मुच्चिस्सति परिणिव्वाइस्सति सव्वदुक्खाणमंतं करिस्सति । ભાવાર્થ :- કેટલાક ભવ્ય સિદ્ધિક જીવો અગિયાર ભવ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મોમાંથી મુક્ત થશે, પરમ નિર્વાણને પ્રાપ્ત થશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
સમવાય-૧૧ સંપૂર્ણ