Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 393
________________ વિવિધ વિષય નિરૂપણ ૩૩૭ गोयमा ! णो इत्थीवेया, णो पुंवेया, णपुंसगवेया पण्णत्ता । ભાવાર્થ – પ્રશ્ર – હે ભગવન્! શું નારકીઓને સ્ત્રીવેદ હોય, પુરુષવેદ હોય છે કે નપુંસકવેદ હોય છે? ઉત્તર – હે ગૌતમ! નારકીઓ સ્ત્રીવેદી નથી, પુરુષવેદી નથી પરંતુ નપુંસકવેદી હોય છે. ४७ असुरकुमारा णं भंते ! किं इत्थीवेया पुरिसवेया णपुंसगवेया? गोयमा ! इत्थीवेया, पुरिसवेया, णो णपुंसगवेया । जाव थणियकुमारा । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમારોને સ્ત્રીવેદ હોય છે, પુરુષવેદ હોય છે કે નપુંસકવેદ હોય છે? ઉત્તર – હે ગૌતમ! અસુરકમારામાં સ્ત્રીવેદ હોય છે, પુરુષવેદ હોય છે, પરંતુ નપુંસકવેદ હોતો નથી. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. ४८ पुढवी आऊ तेऊ वाऊ वणस्सई, बि ति चउरिदिय संमुच्छिम पंचिंदिय तिरिक्ख संमुच्छिम मणुस्सा णपुंसगवेया । गब्भवक्कंतियमणुस्सा पचिंदियतिरिया य तिवेया । जहा असुरकुमारा, तहा वाणमंतरा जोइसियवेमाणिया वि । ભાવાર્થ :- પૃથ્વીકાયિક, અપૂકાયિક તેજસકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, સમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચ અને સમૃદ્ઘિમ મનુષ્યમાં નપુંસકવેદ હોય છે. ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચને ત્રણે ય વેદ હોય છે. જેમઅસુરકુમારોમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ હોય છે, તેવી રીતે વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકોમાં પણ સ્ત્રીવેદ અને પુરુષવેદ હોય છે. વિવિધ વિષય નિરૂપણ.

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433