Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લેવું. દેવેન્દ્ર, દેવરાજ શકની પણ ત્રણ પરિષદે છે, તેમનાં નામ નીચે પ્રમાણે છે-(૧) સમિતા, (૨) ચંડા અને જાતા. અમરના સામાનિક દે અને અગ્ર મહિષીઓની સભાઓના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન શકના સામાનિક દેવોની અને અગ્ર મહિષીઓની પરિષદો વિષે પણ સમજી લેવું, અને એજ પ્રકારનું કથન અચુતના લોકપાલે પર્યન્તની પરિ. પદે વિષે પણ સમજવું. ચમર આદિને ઐશ્વર્યના યેગથી ઈન્દ્ર અને દીપ્તિના
ગથી રાજા કહેવામાં આવેલ છે. પરિષદ એટલે પરિવાર આ પરિવાર રૂપ પરિષદ પ્રયાસત્તિના ભેદથી ત્રણ પ્રકારની કહી છે. જે પરિવાર રૂપ દેવો અને વીશ કેઈ ખાસ પ્રયજનોમાં અતિગૌરવપૂર્વક બોલાવવામાં આવે તે જ આવે છે, તે સભાને અભ્યન્તરા પરિષદ કહે છે. જે સભામાં દેવ અને દેવી. ઓને લાવવામાં આવે ત્યારે પણ આવે છે અને બોલાવ્યા વિના પણ આવે છે તે સભાને મધ્યમ પરિષદ કહે છે. જે સભામાં વિના બેલાથે દે અને દેવામાં આવે છે તે સભાને બાહ્ય પરિષદ કહે છે. જે પરિષદની સાથે પ્રયોજનનો વિચાર કરવામાં આવે છે, તે પરિષદને આદ્યપરિષદ કહે છે. વિચારેલા કાર્યપર જે સભામાં વિસ્તૃત વિચારણા થાય છે, તે પરિષદને બીજી મધ્યમાં પરિષદ કહે છે. પર્યાચિત ( વિચારવામાં આવેલ) કાર્યનું વિવરણ જેની સમક્ષ પ્રસ્તુત કરાય છે, તે પરિષદને તૃતીય અન્ય પરિષદ કહે છે. આ સૂ. ૩૧
ધર્મ વિશેષકી પ્રતિપત્તિકા નિરૂપણ
આ પ્રમાણે ચમર આદિની પરિષદની પ્રરૂપણા પૂરી થઈ. દેવત્વ ધમથી જ પ્રાપ્ત થાય છે. જીવને ધર્મની પ્રતિપત્તિ (પ્રાપ્તિ) કાળવિશેષમાં જ થાય છે. તેથી હવે સૂત્રકાર કાળવિશેષની નિરૂપણાપૂર્વક એ જ ધર્મ વિશેની જીવને પ્રતિપત્તિ થાય છે, એ વાતનું પ્રતિપાદન કરે છે.
“તો સામા પUત્તા” ઈત્યાદિ–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨