Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 792
________________ (૭૧૬) યોગદષ્ટિસમુચ્ચય આમ સંક્ષેપે દ્રવ્યથી–ભાવથી અહિંસાદિ પાંચ યમનું સ્વરૂપ છે. તેની સંકલના અબ્દુભુત છે. તે આ પ્રકારે સ્વાથી મનુષ્ય સાંસારિક લેભરૂપ સ્વાર્થની ખાતર પરની હિંસા કરે છે, પરને પોતાનું કહે છે-માને છે, એટલે પછી તે લેવા–અપહરવાઅહિંસાદિની ચરવા પ્રવર્તે છે, અપહરણ પછી તેને ગાઢ સંશ્લેષ–સંસર્ગ કરે છે, સંકલના અને તેવા ગાઢ પરિચયથી તેને પ્રત્યે તેને મૂચ્છ ભાવ-મમત્વ-પરિગ્રહબુદ્ધિ ઉપજે છે, જેથી તે પર પરિગ્રહથી પરિગૃહીત થાય છે, ચોપાસથી જકડાય છે. પણ આત્માથી મુમુક્ષુ જીવ આત્માર્થરૂપ સ્વાર્થની ખાતર પરની હિંસા કરતું નથી, પરને પિતાનું કહેતા નથી-માનતું નથી, એટલે પછી તે લેવા-અપહરવા–રવા પ્રવર્તતે નથી, એથી તેને સંલેષ સંબંધ થતું નથી, અને તેવા પરિચયના અભાવથી તેને તે પ્રત્યે મૂચ્છભાવ-મમત્વ-પરિગ્રહબુદ્ધિ ઉપજતી નથી જેથી તે પરિગ્રહથી પરિગ્રહીત થતું નથી, ચેતરફથી જકડા નથી એટલે આ આ મુમુક્ષુ મુમુક્ષુનું પુરુષ સ્વરૂપમાં સ્થિતિરૂપ અહિંસાને ભજે છે, અને પછી પરને સ્વ આચરણ કહેવારૂપ અસત્યથી, કે પરના અપહરણરૂપ ચેરીથી, કે પર પ્રત્યે વ્યભિચરણરૂપ મૈથુનથી, કે પર પ્રત્યે મમવરૂપ પરિગ્રહભાવથી, તે સ્વરૂપસ્થિતિને હાનિ પહોંચવા દેતું નથી. આમ મુમુક્ષુ યોગીપુરુષ પરમાર્થથી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ એ પાંચ યમનું–ઉપરમનું સેવન કરે છે. આ યમ અથવા ઉપરમ શબ્દ પણ ઘણો સૂચક છે, કારણ કે સ્વરૂપમાં સંયમન-આત્માને શેકી રાખ-દાબી રાખવો તે યમ છે; અને પરરૂપથી વિરમણ તે ઉપરમ છે. એટલે જેના વડે કરીને આત્મા સ્વરૂપમાં સંયમિત થાય તે યમ છે, અને પરભાવથી વિરમિત થાય તે ઉપરમ છે. બન્ને શબ્દનો ફલિતાર્થ એક છે.-આ અહિંસાદિ પાંચ યમના પ્રત્યેકના પાછા ચાર ચાર પ્રકાર છે, શુદ્ધિની તરતમતાના-ઓછાવત્તાપણાના કારણે તે પ્રત્યેકની ચાર ચાર કેટ-કથા છે. ઇછાયમ, પ્રવત્તિયમ. સ્થિરયમ અને સિદિયમ. એટલે આ યમના (૫૪૪૪૨૦) વીશ પ્રકાર થયા. જેમકે-ઈચ્છાઅહિંસા, પ્રવૃત્તિઅહિંસા, સ્થિરઅહિંસા, સિદ્ધિઅહિંસા, ઈચ્છાસત્ય, પ્રવૃત્તિસત્ય, સ્થિરસત્ય, સિદ્ધિસત્ય, ઈત્યાદિ. આ ઈચ્છાદિ પ્રત્યેક પ્રકારનું સ્વરૂપ હવે પછી કહે છે. એઓનું વિશેષ લક્ષણ કહે છે – तद्वत्कथाप्रीतियुता तथाविपरिणामिनी । यमेष्विच्छावसेयेह प्रथमो यम एव तु ॥ २१५ ॥ કૃત્તિ-તત્ત્વથા કીરિયુતા- તદ્દવંત અર્થાત યમવંતની કથા પ્રત્યેની પ્રીતિયુક્ત, તાવિપરિણામિની-તથા અવિપરિણામિની, તદ્ભાવના સ્થિરવથકી, ચમેy-ઉક્ત લક્ષણવાળા યમમાં છા-ઈ, અવા -સમજવા યોગ્ય છે, રૂ-અહીં, યમચક્રમાં, અને આ પ્રથમ થમ ga ત-પ્રથમ યમ જ છે, અનંતર-હમણું જ કહેવા લક્ષણવાળી ઈચ્છી જ ઇછાયમ છે, એટલા માટે.

Loading...

Page Navigation
1 ... 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844