Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 811
________________ ઉપસંહાર ગાવંચકથી જીવનપદે (૭૩૫) સમસ્ત ગક્રિયારૂપ રાધાવેધમાં પણ પ્રથમ પગથિયું સાધ્યરૂપ લક્ષ્યને-નિશાનને સુનિશ્ચિત કરી બરાબર તાકવું તે છે. આ સાધ્ય લક્ષ્યની સાથે યોગ થ-ડાણ થવું, તેનું નામ જ યેગાવંચક છે. અને તે પરમ નિશ્ચયરૂપ સાધ્ય લક્ષ્ય તે સ્વરૂપ જ છે, એટલે સ્વરૂપ લક્ષ્યને અનુલક્ષીને કરવામાં આવેલ ગ તે યોગાવંચક છે. (જુઓ પૃ ૬૯૩) તે પછી અત્રે પુરુષના તથાદર્શનરૂપ યોગ પર આટલો બધો ભાર મૂકવાનું શું કારણ? કારંણ એટલું જ કે–સપુરુષ મૂર્તિમંત પ્રગટ સ્વરૂપ છે, સાક્ષાત્-પ્રત્યક્ષ મૂર્તિમંત પ્રગટ સસ્વરૂપને વેગ પામેલ પ્રગટ “ગી” છે, સાક્ષાત્ સાક્ષાત્ સત્ સહજાન્મસ્વરૂપ પ્રભુ છે. એટલે આવા સાક્ષાત્ યેગી પુરુષના સ્વરૂપ જવલંત આદર્શદર્શનથી ન ભૂંસાય એવી ચમત્કારિક છાપ મુમુક્ષુ આત્મામાં પડે છે. જેથી એકાંત સ્વરૂપલક્ષી સપુરુષનું પરમ અદ્ભુત આત્મચારિત્ર દેખી, તેને આત્મા સહેજે સ્વરૂપ લક્ષ્ય ભણી ઢળે છે. વાચાલ વક્તાઓના લાખે ઉપદેશે જે બંધ નથી કરી શક્તા, તે આવા એક પુરુષને જીવતે જાગતે દાખલ કરી શકે છે. આમ યેગી પુરુષના તથાદશનથી જીવનું લક્ષ્ય એક સાધ્ય સ્વરૂપ નિશાન પ્રતિ કેન્દ્રિત થાય છે, અને પછી તેની બધી પ્રવૃત્તિ તે સ્વરૂપલક્ષી જ હોય છે. તેટલા માટે સ્વરૂપને સાક્ષાત્ લક્ષ્ય કરાવનાર પુરુષના યેગને યોગાવંચક કહ્યો છે. - આ પુરુષના યેગથી પ્રાપ્ત થતે દેગવંચક ગ જીવનું આખું જીવનચક્ર બદલાવી નાંખે છે. પ્રથમ જે જીવનું સમસ્ત આચરણ સંસારાર્થ થતું હતું, તે હવે સ્વ રૂપલક્ષી થયા પછી કેવળ આત્માર્થ જ થાય છે. પ્રથમ જે જીવની ચગાવંચથી સમસ્ત ક્રિયા-પ્રવૃત્તિ આત્મબાધક થઈને પ્રવર્તતી હતી, તે હવે આત્મ જીવનપલટે સાધક થઈને પ્રવર્તે છે. પ્રથમ જે સહુ સાધન બંધનરૂપ નીવડતા હતા, તે હવે સત્ય સાધનરૂપ થઈ પડે છે. પ્રથમ જે સ્વરૂપલક્ષ વિના ષકારક ચક આત્મવિમુખપણે ઉલટું ચાલતું હતું, તે હવે આત્મસન્મુખપણે સુલટું ચાલે છે. (જુઓ આકતિ ૨૦). પ્રથમ જે આત્માની બધી ચાલ આશ્રવ-બંધપણે અવળી ચાલતી હતી, સવા ર-નિજ રારૂપ થઈ સવળી ચાલે છે. પ્રથમ જે જીવના સમસ્ત વેગ-ક્રિયાદિ સ્વરૂપ લક્ષને ચૂકી વાંકાચૂંકા ચાલતા હોઈ, વંકગામી હોઈ, વંચક થઈને પ્રવર્તતા હતા, તે હવે સ્વરૂપ લક્ષ્યને સાંધી સરલ ચાલી, “અવંકગામી’ થઈ, અવંચક થઈને પ્રવર્તે છે. આવો ચમત્કારિક પલટો ફેરફાર આ જીવમાં થઈ જાય છે. સકલ જોગજીવનરૂપ આ ગાવંચક જ્યારે જીવને પ્રાપ્ત થાય છે, ત્યારે જ તેનું ખરેખરૂં જોગીજીવન' શરૂ થાય છે. અને એટલા માટે જ એને “આ”—સૌથી પ્રથમ એ અવંચક કહ્યો છે, પ્રથમ એ અવંચક હોય તે જ પછી બીજું બધુંય અવંચક હોય છે, નહિં તે વંચક જ હોય છે, કારણ કે તે પહેલાંના તેના સવ યોગસાધન વંચક જ

Loading...

Page Navigation
1 ... 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844