________________
૪
ઉપશમનાકરણ ભાગ-૧
ठिइबंधद्धापुण्णे नवबंधं पल्लसंखभागूणं । असुभसुभाणणुभागं अणंतगुणहाणिवुड्डीहिं ॥ ७ ॥
અક્ષચર્ય :- તેની (મોહનીયની) ઉપશમતાને યોગ્ય જીવ પંચેન્દ્રિય, જ્ઞ, પર્યાપ્ત, ત્રણબ્ધિયુક્ત હોય (૩)
કણની પૂર્વે પણ ગ્રન્થીક જીવોની વિશુદ્ધિને ઉલ્લંઘીને વિશુદ્ધિમાં વર્તમાન હોય, કોઈ પણ એક સાકાર ઉપયોગમાં, કોઈપણ એક યોગમાં તથા ત્રણ શુદ્ધ લેશ્મામાંની અન્યતર શુદ્ધ લેશ્યામાં વર્તમાન હોય. (૪)
સાત કર્મની સ્થિતિસત્તાને અંતઃકોડાકોડી સાગરોપમ કરીને, તથા અશુભકર્મના સત્તાગત ચતુઃસ્થાનિક અનુભાગને āિસ્થાનિક કો, શુભકર્મના સત્તાગત āિસ્થાનિક અનુભાગને . ચતુઃસ્થાનિક કતો (૫)
૪૭ ધ્રુવબંધ પ્રકૃતિઓને બાંધતો, ભવપ્રાયોગ્ય પાવર્તમાન શુભ પ્રકૃતિને બાંધતો તથા આયુષ્યને હિ બાંધતો, તથા યોગાનુસાર ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય પ્રદેશબંધ કરતો (૬)
પૂર્વ પૂર્વનો સ્થિતિબંધ પૂર્ણ થતા ઉત્તરોત્તર પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન સ્થિતિબંધ કરતો, તથા અશુભ અને શુભકર્મના અનુભાગને અનંતગુણનિ-વૃદ્ધિથી બાંધતો(૭) [ઉક્ત જીવ ત્રણ કરણ કરી ઉપશાંતાદ્વાને (ઉપશમ સમ્યક્ત્વને) પામે છે.]
વિશેષાર્થ :- અદિકાળથી સંસાર સાગરમાં પરિભ્રમણ કરી રહેલો જીવ જ્યારે અર્ધપુદ્ગલપરાવર્તથી પણ ઓછો સંસાર બાકી રહે છે, ત્યારે પ્રથમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે અને સંસારની અંદર પ્રથમવાર તો કોઈપણ જીવ ઉપશમ સમ્યક્ત્વ જ, પામે છે, એવી કાર્મગ્રંથિક માન્યતા છે. તેથી અહિંયા શરૂઆતમાં ‘પ્રથમ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ' નામના પહેલા અધિકારને વર્ણવીએ છીએ.
શું કોઈ પણ ગતિનો કોઈપણ પરિસ્થિતિમાં અને કોઈપણ સંયોગોમાં રહેલો જીવ સમ્યક્ત્વ પામર્મી શકે છે કે અમુક જ પરિસ્થિતિમાં અમુક જ ગર્વાદમાં રહેલ જીવ સમ્યક્ત્વ પામી શકે છે ? તેવી શંકાનો રિહાર કરવા માટે સૌથી પહેલા સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા માટેની વિશિષ્ટ પ્રક્રિયા કેવા જીવો કરી શકે ? તે નીચેના મુદ્દાઓ દ્વારા બતાવવામાં આવે છે, અર્થાત્ સમ્યક્ત્વ પ્રાપ્તિ માટેની પ્રક્રિયારૂપ ત્રણ કરણ પૂર્વે અંતર્મુહૂર્તમાં જીવની કેવી અવસ્થા હોય છે ? તે બતાવવામાં આવે છે.
(૧) પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય : લબ્ધિ અપર્ણાપ્ત જીવો તથા લબ્ધિથી પર્યાપ્ત હોવા છતાં કણ અપર્યાપ્તાવસ્થામાં રહેલા જીવો સમ્યક્ત્વ ઉપાર્જી શકતા નથી; કેમકે સમ્યક્ત્વોત્પત્તિ