Book Title: Upshamanakaran Part 01
Author(s): Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 144
________________ અનંતાનુબંધી ઉપશમના ૧૦૩ દલકો ગ્રહણ કરી ઉદયાવલિકા ઉપરના સમયથી અસંખ્યગુણાકારે અપૂર્વકરણ અને - અનિવૃત્તિકરણથી કંઈક અંધક આયામમાં ગોઠવે છે. બીજા સમયે તેથી અસંખ્યગુણ દલિતો લઈ તે જ રીતે ઉદયાવલિકાળાં ઉપરના સમયથી અસંખ્યગુણાકારે ગોઠવે છે. આમ ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણ દલકો લઈ ગુણશ્રેણીની રચના ઉદયાવલિકા ઉપર કરે છે. અહીંયા અપૂર્વકરણ અને વૃત્તિકરણનો સમય અનુભવવા દ્વારા જેમ જેમ ક્ષીણ થાય છે તેમ તેમ ગુણશ્રેણી નિકોપ શેષ સમયોમાં થાય છે, પરંતુ ઉપર વધતો નથી. આમ અહીં ગલતાવશેષ ગુણશ્રેણી થાય છે. તથા અપૂર્વકરણના પ્રથમ સમયથી જ અનંતાનુબંધીના દલિકો પરપ્રકૃતિમાં અસંખ્યગુણાકારે સંક્રમે છે. એટલે કે પ્રથમ સમયે અનંતાનુબંધીના થોડા દલક પરમાં સંક્રમે, બીજા સમયે તેથી અસંખ્યગુણ દલકો સંક્રમ, તૃતીય સમયે તેથી અસંખ્યગુણ દલકો સંક્રમે.... આમ ગુણશ્રેણીનો ક્રમ જાણવો. અપૂર્વકરણ પૂર્ણ થયા પછી નિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. નિવૃત્તિકરણમાં પ્રતિસમય એક જ અધ્યવસાય હોય છે. એટલે કે અનવૃત્તિકરણમાં પ્રથમ સમયad ત્રણે કાળના સર્વ જીવોને એક સરખો અધ્યવસાય હોય છે, તેવી રીતે દ્વિતીય સમયવર્તી ત્રણે કાળના સર્વ જીવોને એક સરખો અધ્યવસાય ોય છે. આમ તવૃત્તિકરણના કુલ સમય જેટલા અતિવૃત્તિકરણના અધ્યવસાયો હોય છે. તેમાં પણ પ્રથમ સમયની વિશુદ્ધિ કરતા દ્વિતીય સમયની વિશુદ્ધિ અનંતગુણ, દ્વિતીય સમયની વિશુદ્ધિ કરતાં તૃતીય સમયની વિશુદ્ધિ અનંતગુણ એમ ચાવતુ અનવૃત્તિકરણના ચરમ સમય સુધી જાણવું. નવૃત્તિકરણમાં પણ પૂર્વોક્ત સ્થિતિઘાતાદિ પાંચ પદાર્થો પ્રવર્તે છે. અનqત્તકરણના સંખ્યાતા બહુભાગ પસાર થાય અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે અનંતાનુબંધની નીચે આવલકા પ્રમાણ સ્થિત રાખી ઉપર અન્તર્મુહૂર્ત પ્રમાણ અંતરકરણ કરે છે. અર્થાત્ અન્તર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ અનંતાનુબંધીના અભાવવાળી કરે છે. અંતરકરણ ક્રિયા એક સ્થિતિબંધાદ્ધા જેટલા કાળમાં સંપૂર્ણ કરે છે અર્થાત્ અનિવૃત્તિકરણનો સંખ્યાતમો ભાગ શેષ રહે ત્યારે નવા સ્થિતિઘાત - નવા સ્થિતિબંધની સાથે જ અંતરકરણક્રિયા શરૂ થાય છે અને એક સ્થિતિઘાત દરમિયાન અંતરકરણક્રિયા પૂર્ણ થાય છે. અહીંયા નીચેની આલકા પ્રમાણ સ્થિતિ જે છોડે છે તે અંતરકરણક્રિયાકાળ દરમિયાન પ્રતિસમય ઉપર-ઉપર વધતી હોય તેમ લાગે છે. અંતરકરણના દલિક નધ્યમાળ પરપ્રકૃતિમાં નાખે છે અને અંતરકરણ ક્રિયા પૂર્ણ થયા પછી પ્રથમસ્થતિની શેષાવલિકા વેધમાન કષાયમાં તિલુકસંક્રમથી સંક્રમાઈને ભોગવાઈ જાય છે તથા અંતરકરણ ક્રિયા પછી અનંતર સમયથી ઉપરિતા દ્વિતીય સ્થિતિગત અનંતાનુબંધીના દલકોને ઉપશમાવે છે. તેમાં પણ

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372