Book Title: Upadhithi Samadhi Taraf
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 42
________________ ત્યારે, ભાગ્ય પર જેને વિશ્વાસ નહિ હોય, એ તો ચડભડાટ કરશે કે “આણે મારું બગાડ્યું... પેલાએ બગાડ્યું..' વળી પુરુષાર્થના અભિમાનથી નવું ખેડવા જશે ને વધુ ગુમાવશે. વળી વખત નબળો છે એટલે હમણાં ભગવાન, ધર્મ વગેરેને બહુ ક્યાંથી ભજાય ? ઊલટું એ તો ટૂંકે પતાવવું પડે...” એમ લોચા વાળશે. એને સમાધાન કરતાં નહિ આવડે. સમાધાનવૃત્તિનો ઉપાય : સમાધાનવૃત્તિ એ તો શાંતિ અને સ્વસ્થતા જાળવવા માટેનો એક મહાન ઉપાય છે. ઘરમાં કદાચ કલેશ થયો, કુટુંબી કોઈ ચડભડ્યો, તો એ સમાધાનવૃત્તિ મન મનાવી લે છે કે આપણું પુણ્ય ઓછું હોય ત્યાં તદન કલેશ રહિત શાંત ખુશનુમાં વાતાવરણ ક્યાંથી મળે ? વળી એ પણ વસ્તુ છે કે જેમ હું ય કોઈ વાર કલેશ કરું છું અને વાજબી માનું છું, તેમ આમને પણ કલેશ કરવો વાજબી લાગતો હોય એ બનવા જોગ છે. આમને ય મારા જેટલા હક જરૂર છે.' અથવા “આમને બિચારાને કલેશ કરવો પડ્યો એમાં ય દુર્ભાગ્ય મોટું કારણ છે તેથી આ તો દયાપાત્ર છે. હે ભગવાન ! આમને સબુદ્ધિ અને સ્વસ્થતા પ્રાપ્ત થાઓ.” અથવા એમ પણ થાય કે “આ તો સંસાર છે. એમાં વિષમતાઓ આવ્યા કરે. માટે સંસારના સ્વભાવની સામે ઉદ્વેગ શા કરવા'તા ? હોય, સારું-નરસું બધું ચાલ્યા કરે.' અથવા, ‘ભવિતવ્યતા બળવાન છે. એ એના ભાવ ભજવે જ છે; તો આપણે આકળા-ઉતાવળા શા સારુ થાવું ?' - આવી એક યા બીજી રીતે પણ સમાધાન કરી લેતાં આવડે તો પોતે કલેશમાં નહિ પડે; ને સામાના કલેશને વધારી નહિ મૂકે. બીજી રીતે બધી અનુકૂળતા હોય, છતાં જો કલેશ થયો તો એ પેલી અનુકૂળતાઓને વિસાતમાં નથી રહેવા દેતો. બધામાં જાણે ઝેર પડ્યું 34 ઉપાધિ થી સમાધિ તરફ

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156