Book Title: Upadhithi Samadhi Taraf
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 122
________________ છે ? ઊલટું એને રાગથી સારી તરીકે જોયા પછી તો એ ન મળ્યાના ઓરતા થાય છે ! અને “મળે તો સારું, કેમ મેળવું' એવા એવા મનને સંતાપ થાય છે, તો વ્યવહારથી પણ શું સારું પરિણામ નીપજાવ્યું ? ઊલટું ન જોઈ હોત તો ચિત્ત જે સ્વસ્થ રહે તે રાગની નજરે જોયા પછી અશાંતિ-સંતાપની હૈયા-હોળી ઊભી કરી ! માટે જ રાગ વિના ઉદાસીન ભાવે જોવામાં મઝા છે. એવું જ આપણા તાબાની વસ્તુઓ પણ જેટલું રાગદ્વેષની નજરથી જોવાનું કરાશે એટલો સંતાપ અને દુઃખ થવાનું છે. વસ્તુ મળી તો રાખી લીધી, મળી છે તો વાપરી લીધી, પરંતુ રાગ-દ્વેષની આંધીઓ ચઢાવવાથી કોઈ જ લાભ નથી. આ માત્ર જડ અંગે જ સમજતા મા. જીવો માટે પણ એ જ ઉદાસીન દષ્ટિ રાખવાની છે. પરાયા માણસો ગમે તેવા રૂપાળા મીઠાબોલા, સેવાભાવી ઇત્યાદિ હોય, તેથી આપણને શું ? અથવા કૂબડા, કડવાબોલા, કે સ્વાર્થી હોય, તેથી ય આપણે એની સાથે શી લેવાદેવા ? એમને રાગ-દ્વેષથી જોવાની કોઈ જરૂર છે ? તત્ત્વ સંવેદનમાં આવવા માટે અહીંથી શરૂઆત કરવાની છે, કે આપણને નિસ્બત નથી તેવા લોકોને રાગ-દ્વેષથી નિહાળવાનું ઓછું કરતા આવીએ. ભલે તમને આ ઊંચી કક્ષા લાગે, પરંતુ કંઈક કંઈક પણ અભ્યાસ પાડવાની જરૂર છે. નિસ્બત વિનાનામાં ય નહિ પાલવે તો તો પછી જેની સાથે નિસ્બત છે, અર્થાત્ આપણા સ્વાર્થના સાધક યા ઘાતક છે, એને રાગદ્વેષ વિના ઉદાસીનભાવે જોવાનું આ જન્મમાં તો શું પણ પરભવમાં ય સંભવિત છે ખરું ? આત્મહિતકારી જીવ-અજીવ પ્રત્યે કેવું વલણ ? : અહીં એટલું ધ્યાન રાખવાનું છે કે જયાં સુધી વીતરાગ દશા નથી પ્રાપ્ત થઈ ત્યાં સુધી આત્મહિતકારી તત્ત્વો પર બહુમાન દષ્ટિ રાખવાની છે, અનહદ નિર્મલ રાગ ધરવાનો છે. તો જ એમનું હાર્દિક આલંબન લેવાશે; અન્યને છોડી એમનું જ આલંબન કરાશે. એવું જ આત્મહિતના ઘાતક અને અહિતમાં નિમિત્તભૂત તત્ત્વ પ્રત્યે અરુચિ ઉપાધિ થી સમાધિ તરફ 1 14

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156