Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ વિચાર કરે તે દ્રવ્યથી ઉપગ; હું પિતાના ઘરમાં છું કે પારકે ઘેર, મેડા ઉપર કે ભૂતળ ઉપર એ વિચાર કરવો તે ક્ષેત્રો ઉપયોગ ત્રિ છે કે દિવસ છે એવો વિચાર કરે તે કાળથી ઉપયાગ: મન, વચન અને કાયાના દુઃખથી હું પીડાયેલો છું કે નહિ એ વિચાર કરે તે ભાવથી ઉપયોગ; એ ચતુર્વિધ ઉપગ દીધા પછી નિદ્રા બરાબર ગઈ ન હોય તે નાસિકા પકડીને શ્વાસોશ્વાસ રોકે તેથી નિદ્રા તદ્દન જાય, એટલે તે વખતે ડાબી અગર જમણી બાજુની જે નાડી વહેતી હોય તે તરફ પગ પ્રથમ ધરતી ઉપર મૂકી શધ્યાથી ઉઠે. બારણું જોઈને બહાર નીકળી કાયચિંતા નિવારે. તે વખતે કેઇને બોલાવે તે ધીરે સાદે બોલાવે કેમકે ઉતાવળા બેલવાથી કે ખુંખારા, ખાંસી, હુંકાર વગેરેથી ગીરોલી વગેરે હિંસક પ્રાણીઓ જાગે, પડોસના માણસો જાગ્રત થઈ આરંભનાં કાર્યો કરે વગેરે અનર્થ કાર્યના કારણિક બનવું પડે, માટે મંદસ્વરથી કોઈને કઈ બતાવવું પડે તે બોલવું. દેહચિંતા નિવારણ કર્યા બાદ શુદ્ધવસ્ત્ર પહેરી પૂર્વ દિશિ સન્મુખ અથવા ઉત્તરદિશિ સન્મુખ પવિત્ર શરીરે પવિત્ર સ્થાનકે બેસી મન સ્થિર રાખીને શ્રીનવકારમંત્રનો જાપ કરે, કેમકે અપવિત્ર અથવા પવિત્રપણે સુખિયો અથવા દુખિયો થકે પણ જે પ્રાણ નવકાર પ્રત્યે ધ્યાવે તે સર્વ પાપથી મકાય છે. અંગુલીને ટેરવે જે નવકારને જાપ કરે, જે મેરૂ એલંઘી જાપ કરે, વળો સંખ્યા રહિત જાપ કરે તેનું પ્રાયે અ૫ ફળ હોય, જાપ ત્રણ પ્રકારે છે. ઉત્તમ, મધ્યમ અને જઘન્ય. એમાં કમળ આદિકના વિધિએ જે ગણે તે પ્રથમ મુખ્ય જાણો. નવકારવાળીએ ગણે તે મધ્યમ જાપ જાણવે. મૌન ધારણ કર્યા વિના, સંખ્યા વિના, મન સ્થિર વિના, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126