Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 115
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ પછી બાર વર્ષ પર્યત ક્રિયા સહિત અને લિંગાદિક ભેદે રહિત તીર્થપ્રભાવના કરી ફરી દીક્ષા લઈને જે ગચ્છમાં આવવું તે દશમું પારચિતપ્રાયશ્ચિત્ત જાણવું. ૨. ગુણવંત આદિકની ભકિત કરવી તથા આશાતના ટાળવી, ગુણને નમસ્કાર કર, તેને નિયતપ કહે છે ૩ આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર (તે જ્ઞાન, પર્યાય તથા વય એ ત્રણ પ્રકારે) તપસ્વી, રાગી, નવદીક્ષિત સાધુ. સમાનધમ, કુળ તે ચંદ્રાદિક પ્રમુખ, ગણ તે કોટિક પ્રમુખ, સંધ તે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ સમુદાય, એ રીતે દશની અશન, પાન, વસ્ત્ર, પાત્ર તથા ઔષધ પ્રમુખે કરી યથાયોગ્ય સેવા કરવી તેને વૈયાવચ્ચ કહે છે. ૪ વાંચના-પોતે ભણવું, શિષ્યાદિકને ભણાવવું તથા વાંચવું, પૃચ્છના–સુત્રમોહે સંદેહ પડવાથકી ગુર્નાદિકને પૂછવું. પરિવતેના–એટલે પૂર્વે શીખેલ અર્થ તેને ફરી સંભાર. અનુપ્રેક્ષા એટલે ધારેલા અર્થનું ચિંતવન કરવું. ધર્મકથા એટલે ધર્મસંબંધી કથા કહેવી અથવા ધર્મોપદેશ કરવો. એ પાંચ પ્રકારે સ્વાધ્યાયતપ જાણો. ૫ ધર્મધ્યાનના ૪ પાયા તથા શુકલધ્યાનના ૪ પાયાનું જે એકાગ્રતાએ ચિંતવન તેને ધ્યાનતપ કહે છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ધ્યાવાથી કંઈ તપ થતું નથી, તપ તે છેલ્લા બે ધ્યાન ધ્યાવાથી થાય છે, અને તેથી કર્મી દૂર થાય છે. ૬ કાયાનો ત્યાગ તેને કાર્યોત્સર્ગ કહે છે. લોગસ્સ પ્રમુખના ચિંતવન પૂર્વક શરીર ઉપરથી મમતાભાવ ત્યાગ કરે તેને કાઉસ્સગ્ન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126