Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 55
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ ભુવનપતિઆદિથી તે સર્વાર્થસિદ્ધવિમાન પતના દેવતાને જઘન્યપણે એક સમયને ઉપજવાને વિરહકાળ હોય. ઉ૫પાત વિરહની પેઠે વન વિરહકાળ પણ જઘન્ય ઉત્કૃષ્ટ જાણ. એક, બે, ત્રણ, ચાર, સંખ્યાતા ને અસંખ્યાતા દેવતા એક સમયમાં ઉપજે અને ચવે. ભુવનપતિથી માંડીને સહસ્ત્રારદેવલેક સુધી જધન્યથકી એક સમય માટે જે ઉપજે તે એક, બે, ત્રણ ઉપજે તથા એવે અને ઉત્કૃષ્ટી સંખ્યાતા તથા અસંખ્યાતા ઉપજે અને એવે, કેમકે સહસ્ત્રારદેવલોક પર્યત તિર્યંચ પણ જાય છે માટે અસંખ્યાતા ઉપજે અને ચે. આઠમા દેવલોકથી ઉપરના દેવતા એક સમયમાંહે સંખ્યાતા ઉપજે અને એવે, પણ અસંખ્યાતા નહીં, કેમકે ત્યાં મનુષ્યજ જઈ શકે છે અને ત્યાનો દેવતા ચવે તે પણ મનુષ્યજ થાય છે, તે માટે તે મનુષ્ય સંખ્યાતાજ છે. પર્યાપ્ત મનુષ્ય તથા પર્યાતા તિર્યંચ પચંદિય એ બે દેવતાની ગતિમાહ ઉપજે. અને શેષ દેવતા, નારકી, એકેદ્રિય, વિગલેંદ્રિય, વળી અપર્યાપ્તા પંકિય, તીર્થંચ અને મનુષ્ય એટલા મહેલે કોઈ જીવ મરીને દેવતા થાય નહીં. અસંખ્યાતા આયુષ્યવાળા યુગલિયા મનુષ્ય તથા તિર્યંચ સર્વે નિશ્ચયે દેવતાની ગતિમાંહે અવતરે. સંમૂર્ણિમ મનુષ્ય મરીને ઉત્કૃષ્ટપણે ભુવનપતિ તથા વ્યંતરને વિષે જાય, પણ જ્યોતિષમાં ન જાય. પંચાગ્નિ તપનારા, મિથ્યાત્વી તપસ્વી, ઉત્કૃષ્ઠ રેષને ધારણ કરનારા, અહંકાર કરનારા, તપશ્ચર્યા કરતાં વૈરભાવને પ્રતિબંધ કરનારા જીવો મરી અસુરકુમાર ભુવનપતિમાંહે ઉપજે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126