Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 110
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંથારાને સ્પર્શ થએ છતે જે દુઃખ થાય તે સહન કરે તેને તૃણસ્પર્શ પરિસહ કહે છે, ૧૮ મલપરિસહ–સાધુના અંગે ધણ મેલ થાય તે મેલ ઉનાળામાં પરસેવાથી ભીંજાઈને ગંધાય તો પણ તે દુર્ગધને સહન કરવી તેને મલપરિસહ કહે છે. ૧૯ સકારપરિસહ–કોઈ સ્તવન કરે, માન આપે, તો પણ મનમાં ઉત્કર્ષ હર્ષ આણે નહીં અને સત્કાર ન થવાથી ખેદ પણ પામે નહિ. ૨૦ પ્રજ્ઞા પરિસહ–સાધુ ઘણું મૃતનો જાણ થઈ મનમાં અહંકાર લાવે નહીં, અહંકારને જ્ય કરે. ૨૧ અજ્ઞાનપરિસર–કોઈ સાધુ ઘેરું ભણ્યા હોય અને કેાઈ પ્રશ્ન પૂછે ત્યારે ઉત્તર નહીં આવડવાથી મનમાં જે ખેદ થાય તેને સહન કરે, કદાપિ અપમાન થાય તો પણ તેથકી થનાર દુઃખને સહન કરે પણ મનમાં આહટ દેહટ ચિંતવે નહીં. ૨૨ સમ્યક્ત્વપરિસહ–અલ્પ જ્ઞાનને લીધે ધર્મમાં તથા દેવતત્ત્વ, ગુરૂતત્ત્વમાં શંકાઓ થાય તેને દૂર કરવી, પણ અસહણ કરવી નહીં. દશર્યાતિ ધર્મ– ૧ ક્રોધનો અભાવ તેને ક્ષમાધર્મ કહે છે. ૨ માનનો ત્યાગ કરે તેને માર્દવધર્મ કહે છે. 2 કપટને ત્યાગ કરે તેને આર્યવધર્મ કહે છે. ૪ લોભનો ત્યાગ કરે તેને મુક્તિધર્મ કહે છે. ૫ ઇચ્છાને નિરોધ (ઈચ્છાને રેકવી) તેને તપોધર્મ કહે છે. ૬ પાંચ વ્રત, પચેંદ્રિયનિગ્રહ, ચાર કષાયને જય અને ત્રણ દંડની નિવૃત્તિ, તેને સંયમધર્મ કહે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126