Book Title: Shubh Sangraha Part 05
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 356
________________ ૩૪૦ શુભસંગ્રહ-ભાગ પાંચમે મોતીભાઈ ન. અમીન, મંત્રીઓ-રા. ગણેશ વાસુદેવ માવલંકર અને રા. હિરાલાલ ત્રિ. પારેખ. (૧૫) અંત્યજમંડળો અંત્યજોની કેળવણી, વસવાટ અને સુધારણું તથા તેમનો દરજજો વધારવા અર્થે ગુજરાતમાં દરેક જિલ્લામાં અંજમંડળો સ્થાપવા વ્યવસ્થાપૂર્વક પ્રયત્ન થવા અને તેમનું મનુષ્યત્વ ખીલવવા પૂરેપૂરી તજવીજ કરવા આ પરિષદ, સમાજસેવાના કાર્યમાં રસ લેતાં સૌ ભાઈબહેનને આગ્રહ કરે છે અને સરકારને વિનતિ કરે છે કે “ડિપ્રેડ કલાસીસ”ને માટેની બધી સવડતા. માત્ર અસ્પૃશ્ય કેમને માટેજ રાખવી. (૧૬) પછાત યા દલિત કેમોને ઉદ્ધાર ગુજરાતની પછાત કેમ જેવી કે-ભીલ, નાયક, ચોધરા, ગામીત, દૈડિયા વગેરેની કેળવણી, વૈદ્યકીય મદદ, ઔદ્યોગિક શિક્ષણ અને ધાર્મિક ઉપદેશ આદિ પ્રત્તિદ્વારા સેવા કરવા માટે જ્યાં જ્યાં તેવા લોકોની વસ્તી હોય ત્યાં ત્યાં આશ્રમો વગેરે સ્થાપી તેમને ઉન્નત દશાએ લાવવાની જરૂરિયાત આ પરિષદ સ્વીકારે છે અને દરેક જિલ્લાના સ્થાનિક સમાજસેવકે ને તે દિશામાં પગલાં ભરવા આગ્રહપૂર્વક વિનતિ કરે છે. (૧૯) મોટી ઉંમરનાં સ્ત્રીપુરુષોની કેળવણી અક્ષરજ્ઞાન એ પ્રજાને કેળવણી આપવાનું ઉત્તમ સાધન છે. આપણા દેશના ૬૯ગ્યે આપણો દેશ અક્ષરજ્ઞાનમાં બહુજ પછાત છે. કમી માં કમી વસ્તીના પ્રમાણમાં સેંકડે ૨૫ ટકા બાળકે અક્ષરજ્ઞાન તેમજ બીજી કેળવણી લેવાને શાળાઓમાં અભ્યાસ કરતાં હોવાં જોઈએ; તારે આપણા દેશમાં વસ્તીના પ્રમાણમાં સેંકડે ૪. ર ટકા બાળકે શાળાઓમાં ભણતાં જોઈએ છીએ; એટલે ૧૫ બાળકોમાંથી માત્ર ૪ બાળકે શાળામાં ભણે છે, બાકીનાં ૧૧ બાળકો કોઇ પણ જાતની કેળવણી લીધા વિના પોતાનું અમૂલ્ય મનુષ્યજીવન વ્યતીત કરે છે. આથી જેમને લખતો વાંચતાં. નથી આવડતું તેઓને બીજા સાધનઠારા કેળવણી આપી જેમ બને તેમ દેશમાંથ, અજ્ઞાનરૂપી ભયંકર અંધકાર દૂર કરવાનું આ પરિષદ આવશ્યક ધારે છે અને તેને માટે નીચેનાં સાધનો દ્વારા જનમંડળમાં કેળવણીને ફેલાવો કરવા સેવકને ખાસ સૂચના કરે છેઃ ૧-આરોગ્ય, નાગરિકોના ધર્મ, સમાજમાં દાખલ થઈ ગયેલા ખરાબ રિવાજે, ધર્મ વગેરે વિષય ઉપર મોટી ઉંમરનાં સ્ત્રીપુરુષે માટે ભાષણ-બની શકે ત્યાં મેજીક લેન્ટર્ન તથા સનેમાની મદદથી આપવાની ગોઠવણ કરવી; જેથી ભાષણોની સારી પેઠે છાપ સાંભળનારાઓ ઉપર પડે અને તેની સારી અસર થાય. ૨ –સ્ત્રીઓને માટે બેપરના વર્ગ ખોલવા અને ત્યાં સ્ત્રીઉપયોગી શિક્ષણ આપવું. ૩-કારીગરે તથા મજુરિયાત વર્ગોને માટે તેમને અક્ષરજ્ઞાન તેમ બીજી કેળવણી આપવાને રાત્રિશાળાઓ લાવવી. ૪-જેમને સહેજસાજ વાંચતાં-લખતાં આવડતું હોય તેવાઓને માટે ફરતી લાયબ્રેરીઓદ્વારા ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત કરી શકે. પ-અને બની શકે ત્યાં જ્ઞાતિમંડળે ઉભાં કરી તે દ્વારા પ્રયત્ન કરવા. આ ઉપરાંત આ પરિષદ લોકલ બોડૅ, મ્યુનિસિપાલીટીઓ તેમજ ધનાઢયને આગ્રહપૂર્વક વિનતિ કરે છે કે, તેમણે વધારે ને વધારે પ્રમાણમાં ગામડાંઓમાં તેમ શહેરોમાં જ્યાં મજુરિયા તથા પછાત વર્ગોની વસ્તી છે ત્યાં સ્ત્રીઓને માટે બપોરના ખાસ વર્ગો તેમ પક્ષોને માટે રાત્રિશાળ એ ખોલવી. (૧૮) આ પરિષદે પસાર કરેલા ઠરાવને અમલ કરવા સારૂ તથા તે ઠરાને હેતુ સફળ કરવા સારૂ જે જે કાર્ય કરવું પડે તે સારૂ, આ પરિષદની નીચે મુજબ, કારોબારી સમિતિ નીમવામાં આવે છેઃ ૧-પ્રમુખ સાહેબ. ૨-લેડી વિદ્યાબહેન. –ડૉ. સુમંત મહેતા. ૪-ડે હરિપ્રસાદ વી. દેશાઈ. ૫-શ્રી. મોતીભાઈ નરસિંહભાઈ અમીન. ૬-રા. દયાશંકરભાઈ શુક્લ. ૭–રા, હીરાલાલ ત્રિ. પારેખ. ૮-રા. વાસુદેવ માવલંકર. ૯-રા. રોહિત મહેતા. ૧૦–મીસ આઈ. એન. ભાગવત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400