Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
*********.........↔
જન્મભુવન પ્રતિષ્ઠા મહાત્સવજય વવાણિયા
સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સ`તાની ભૂમિ. અનેક સંત—મહાત્મા પુરુષાની તે જન્મદાત્રી છે. શ્રી. આનંદઘનજી, નરસિંહ મહેતા, પ્રીતમદાસ, મીરાંબાઈ, સ્વામી દયાનંદ, પૂ. ગાંધીજીએ—આવા અનેક મહાત્માઓએ તે ભૂમિને પાવન કરી છે.
જગમ તીરૂપ સત્પુરુષા જેમ એ ભૂમિ પર થઈ ગયા છે, તેમ તી સિદ્ધાચલ ( શત્રુજય ), ગિરનાર, તળાજા, દ્વારકા વગેરે સ્થાવર તીર્થા પણ ત્યાં શે।ભી રહ્યાં છે. એવા એ સૌરાષ્ટ્રના વિશાળ પટ પર એક નાની પણ શ્રી સંતની જન્મદાત્રીને કારણે તીરૂપ અનેલી પરમ પાવની શ્રી વવાણિયાભૂમિ, કચ્છની ખાડીના સૌરાષ્ટ્રના કિનારે શે।ભી રહી છે. માણેકવાડાથી ત્યાં વરસાથી આવી વસેલ પંચાણ મહેતાના કુટુંબમાં તેમના પુત્ર રવજીભાઈ ને ત્યાં દેવીસમાં પૂ. દેવમાએ વિ. સ ́વત ૧૯૨૪ના કારતક સુદી પૂનમને રવિવારની રાત્રીએ જગઉધ્ધારક પુત્રરત્નને જન્મ આપ્યા હતા.
કાર્તિકી પૂર્ણિમાના દિવસ દેવદિવાળી તરીકે મનાય છે. મહાપ્રભાવક શ્રી હેમચંદ્રાચાય જીના જન્મ પણ કાર્તિકી પૂર્ણિમાએ જ થયા હતા. જૈનોમાં તે દિવસ શ્રી સિદ્ધાચલજીની યાત્રાના મહિમા દિન ગણાય છે. એવા આ મહાન પાવનકારી દિવસે દેદીપ્યમાન જ્યાતિસમા મહાપ્રતાપી જ્ઞાનભાનુને વવાણિયાની ભૂમિમાં ઉદય થયા.
અહાહા ! આ નાનાસરખા ગામમાં આ શુ? જાણે માનવમહેરામણ ઊભરાઈ રહ્યો છે! વાજિંત્રાના નાદ અને નેાખતના ગડગડાટ ! આ શૈા છે બધા કાલાહલ અને શેના છે આ આનદ?