Book Title: Sharda Shiromani
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 1014
________________ શારદ શિરોમણિ 7 [૯૩૫ મહાપુરૂષોને કષ્ટા, ઉપસર્ગો આવ્યા ત્યારે એ વિચાર્યું કે આ તે બે ઘડીનું દુઃખ છે. આ કર્મના ઢગલાને ઉડાડવા માટે જે સમતાને, ક્ષમાને જોરદાર પવન આવશે તે મારા કર્મના ગંજ બળીને સાફ થઈ જશે. આ હતી તેમની જ્ઞાનદષ્ટિ. અજ્ઞાનથી અંધકાર અને જ્ઞાનથી પ્રકાશઃ આ અજ્ઞાને તે જીવનમાં કેવી હેનારત સર્જી છે. કુંડરિક મુનિ એક હજાર વર્ષ સંયમની સાધના કર્યા બાદ રસવંતા ભેજનમાં આસક્ત બન્યા, માન-સન્માનમાં મસ્ત બન્યા, જ્ઞાનદષ્ટિ છૂટી ગઈ, અજ્ઞાનમાં અટવાઈ ગયા, પરિણામે સંયમ દુઃખકારક લાગ્યો અને ચારિત્ર છેડીને રાજ્યના રાગમાં રંગાઈ ગયા, છેવટે મરીને નરકમાં ચાલ્યા ગયા. જે જીવનમાં જ્ઞાનને પ્રકાશ હેત તે આ સ્થિતિ ન આવત, માટે પ્રત્યેક પળે પળે સાવધાની રાખવાની છે. જે પળમાં આ સાવધાની જાય છે, જાગૃતિ ઓછી થાય છે એ પળ આત્માને માટે ભારે ખતરનાક બની જાય છે. આજે જ્ઞાનપંચમીને દિવસે ઉપવાસ કરે, એટલે ટાઈમ મળે તેટલા સમયમાં એકાગ્ર ચિત્તથી ભણે, જ્ઞાનીનું બહુમાન કરવાથી, એના ગુણગાન કરવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે. જ્ઞાન દેનાર ગુરૂના ઉપકારને તે કયારે પણું ભૂલશો નહિ. જ્ઞાનદાન એ મહાન દાન છે, માટે જ્ઞાનદાતા ગુરૂની બને એટલી સેવા કરવી પણ તેમના ઉપકારને કક્યારે પણ ભૂલવા નહિ. અહીં મને એક વાત યાદ આવે છે. જીવણભાઈ નામના એક ટીચર સ્કુલમાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા. આ ટીચર ખૂબ પ્રમાણિક હતા. આજે તે એવે સમય છે કે વિદ્યાથી ઠેઠ હેય પણ કલાસના ટીચરનું ટયુશન રાખ્યું હોય તે ઠેઠ પણ પાસ થઈ જાય અને જે બીજા ટીચર રાખ્યા હોય તે ચિંતાને પાર નહિ. આ જીવણભાઈ બધાને પ્રેમથી ભણાવતા અને સારા સંસ્કારોનું સિંચન કરતા. જે વિદ્યાથીઓ ભણવામાં નબળા હોય તેમને રાત્રે બેલાવતા ને ભણાવતા. કેઈની પાસે પૈસે લેતા નહિ. આ રીતે ભણાવતાં તેમની ઉંમર થઈ ગઈ એટલે સરકારે તેમને છૂટા કર્યા. તેમને પેન્શન મળતું અને આજીવિકા માટે ટયુશન કરતા. આ ટીચરને એક દીકરી હતી. તે મોટી થઈ. દીકરી યુવાન થઈ. એટલે માબાપને ચિંતા તે થાય ને! દીકરીનું પુણ્યદયે સારા ઘેર સગપણ થયું. હવે તેના લગ્ન. કરવાના હતા. જીવણભાઈ વિચારે છે કે લગ્ન કરવા પાંચ હજાર રૂપિયા જોઈશે તે કયાંથી લાવીશ? શું કરીશ? તેમને વિચાર આવે કે મારા હાથ નીચે ભણેલા કંઈક છોકરાએ સુખી થઈ ગયા છે. કોઈ એંજીનિયર, કઈ હેકટર બન્યા છે તે હું તેમની પાસે જાઉં ને ૫૦૦૦ રૂા. ઉછીને લઈ આવું. એમ વિચાર કરી નીલેશ નામના વિદ્યાથી પાસે ગયા. તે મોટો ધનવાન બની ગયું છે. નીલેશે દૂરથી જોયું કે આ તે મારા ટીચર આવે છે. તરત તે તેમના સામે ગયે. મીઠે આવકાર આપ્યો. પધારે સાહેબ પધારો! નીલેશ ભલે મોટો વહેપારી બને છે પણ એનામાં વિનય હતો ! આજે તે વિનયને દેશવટો દઈ દીધું છે. નીલેશને ટીચર માટે માન હતું. તેણે તેમને સત્કાર કરીને બેસાડ્યા, પછી તેમને પૂછયું–અહે સાહેબ ! આજે આપને કયા કારણસર અહીં

Loading...

Page Navigation
1 ... 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042 1043 1044 1045 1046 1047 1048 1049 1050 1051 1052 1053 1054 1055 1056 1057 1058 1059 1060