________________
જ
સાત્ત્વિક સહચિંતન
રાજકોટ તા. સાત્ત્વિક સહચિંતન
શિબિર
ત્યાર બાદ રાગદ્વેષથી પર, સંસાર પાર કરવાની કામનાવાળો એક સાધક ભિક્ષ ત્યાં આવ્યો. તેણે ઢળી ગયેલા ચાર પુરુષો જોયા. પછી પોતાની સાધનાના બળ પરના દૃઢ વિશ્વાસથી કિનારા પર ઊભાઊભા જ બૂમ પાડી, “હે શ્વેત કમળ ! ડીને અહીં આવ'. તરત જ પેલું શ્વેતકમળ ઊડીને તેની પાસે આવ્યું.
કમળ તળાવડી એ સંસાર છે, તેનું પાણી તે કર્યો છે, કાદવ તે રાગદ્વેષ અને કામભોગ છે. શ્વેત કમળો તે જનસમુદાય છે અને શ્રેષ્ઠ કમળ તે રાજા. વિવિધ પ્રકારના મતવાદીઓ તે ચાર પુરષો છે. પેલો ભિક્ષ તે સુધર્મ છે. ભિક્ષુએ પાડેલી બૂમ તે ધર્મોપદેશ છે. કમળનું ઊડીને આવવું તે પંચમગતિ કે નિર્વાણ છે.
અર્થાત્ ધર્મ સિવાય આ સંસારમાંથી કોઈ મુક્તિ ન અપાવી શકે. બધા વાદીઓ પોતે જ કર્મોનાં બંધનમાં બંધાયેલા હોય છે. બંદીવાનો બીજાને મુક્તિ કઈ રીતે અપાવી શકે ? તે બીજાને નિર્વાણ અપાવતાં પહેલાં પોતે જ સંસારમાં ડૂબી મરે છે, જ્યારે એકમાત્ર ધર્મ જ આપણને તારી શકે છે.
કમળ તળાવડી
આત્મસુધારણાના અમૂલ્ય દસ્તાવેજ સમા જિનાગમ દ્વારા આગમ મનીષીઓએ અધ્યાત્મ અમૃતનું પાન કરાવ્યું છે.
બીજા અંગસૂત્ર સુયગડાંગ, અજ્ઞાનરૂપી અંધકારથી દુઃસાધ્ય એવા મોક્ષમાર્ગને બતાવનાર દીપક સમાન છે. આ સૂત્રકૃતાંગ સિદ્ધગતિરૂપ મંદિરે ચડવાના સોપાન સમાન છે. હિતશિક્ષાની આ મંજૂષામાંથી કમળ તળાવડીના રૂપકને સમજવા જેવું છે.
એક કમળ તળાવડી પાણી તથા કાદવવાળી, કમળોથી ભરેલી, રમણીય, મનોહર તથા દર્શનીય હતી. શ્વેત કમળો કમળની જાતોમાં શ્રેષ્ઠ ગણાય છે. કમળ તળાવડીના બરાબર મધ્ય ભાગમાં સર્વ કમળોમાં શ્રેષ્ઠ એવું મોટું શ્વેત મળ ઊગ્યું હતું. તે યોગ્ય સ્થળે ઊગેલું હોવાને કારણે તેજસ્વી અને રમણીય લાગતું હતું
પૂર્વ દિશામાંથી એક પુરુષ આવ્યો. તે પોતાની બુદ્ધિ પર વિશ્વાસ રાખી કમળ તળાવડીમાં આ શ્વેત કમળ લેવા ઊતર્યો, પરંતુ પુષ્કરિણીના મધ્ય ભાગમાં કળણમાં ફસાઈ ગયો. પછી દક્ષિણ દિશામાંથી બીજો એક પુરુષ આવ્યો. પોતાના અનુભવ પર વિશ્વાસ રાખી કમળપુષ્પ લેવા તળાવડીમાં ઊતરતાં અધવચ્ચે જ ઢળી ગયો. પશ્ચિમ દિશામાંથી આવેલ ત્રીજો અને ઉત્તરમાંથી આવેલ ચોથા પુરુષની પણ એ જ વલે થઈ.
- ૩૧ -