________________
સાત્ત્વિક સહચિંતન ક્લિ
આપણે લાખો રૂપિયા ખર્ચી વિદેશ પ્રવાસમાં જઈએ. ત્યાં પણ ગુજરાતી વાનગી શોધીએ. હોટેલ છોડતી વખતે શેમ્પની બૉટલ કે સાબુ ન છોડીએ.... આ વૃત્તિ. | પ્રવૃત્તિ સાથે વૃત્તિ બદલે અને આસક્તિ સાથેનો અનુબંધ તૂટે તો જ વૃત્તિ સ્વાભાવિક બની શકે ને પારમાર્થિક બની શકે. માટે જ શ્રીમદ્જીએ અધ્યાત્મમાર્ગના સાધકોને વૃત્તિ પર સંશોધન કરવાની શીખ આપી છે.
શ્રીમદ્જીનાં વિવિધ સાહિત્યસ્વરૂપોમાં પત્ર સાહિત્યનું વિશિષ્ટ યોગદાન છે. મોક્ષમાર્ગના સાધકો માટે આ પત્રો અમૂલ્ય નજરાણું છે. આ પત્રોએ અધ્યાત્મ શ્રત સંપદાને સમૃદ્ધ કરી છે.
સંવત ૧૯૪૭થી ૧૯૫૭ સુધીનાં તેર વર્ષના ગાળામાં લગભગ ૯૫૦થી વધારે પત્રો ઉપલબ્ધ થાય છે. ૩૫૦થી વધારે પત્રો, જુઠાભાઈ, ગાંધીજી સહિત કેટલાક મુમુક્ષુઓ અને અલગઅલગ વ્યક્તિઓ પર લખાયેલા છે. ૧૨૫ પત્રો અંબાલાલભાઈ પર લખેલા. ૧૮૦ જેટલા પત્રો લઘુરાજ સ્વામી પર લખાયેલ છે. સૌથી વધુ પત્રો એટલે કે ૨૫૦ જેટલા પત્રો તેમના પરમસખા શ્રી સૌભાગ્યભાઈ પર લખાયેલા છે. ગાંધીજીને હિન્દુ ધર્મમાં થયેલી શંકાનું નિવારણ શ્રીમદ્જીના પત્રો દ્વારા થયું. ગાંધીજીએ નોંધ્યું છે કે, “આધ્યાત્મિક ભીડ” વખતે મને શ્રીમદ્જીનો આશરો હતો. એ પરથી આપણે જાણી શકીએ કે શ્રીમદ્જીના પત્રો કેટલી આધ્યાત્મિક ઊંચાઈએ હશે. ઉપરાંત આ ચાર આધ્યાત્મિક પુરુષો આવા વિષમકાળમાં શ્રીમદ્જીથી આત્મજ્ઞાન પામ્યા તે પરથી આપણે સમજી શકીએ કે શ્રીમજીનું આધ્યાત્મિક સાહિત્ય કેટલું ઉચ્ચ કોટિનું હશે.
- શ્રીમદ્જીએ પત્રોમાં કરેલ સંબોધનો પણ તેમની આધ્યાત્મિક આંતરચેતનાની સાક્ષી પૂરે છે.
શ્રીમદ્જીએ પત્રોમાં કરેલાં સંબોધનો - આત્મહિતાભિલાષી આજ્ઞાંકિત મુમુક્ષુ ભાઈઓ સજિજ્ઞાસુ, માર્ગાનુસારી મતિ મહાભાગ્ય જીવનમુકત બોધસ્વરૂપ, સપુરુષ વગેરે.... આ તમામ પત્રો અધ્યાત્મ ભાવોથી સભર છે. સેંકડો વિષયોનું પત્રોમાં સહજ
૫
જીવન જીવી સાત્ત્વિક સહચિંતન શિબિર રીતે નિરૂપણ થયું છે.
- નિશ્ચય અને વ્યવહારનો અદ્ભુત સમન્વય પણ આ પત્રોમાં જોવા મળે છે. એવા જ એક પત્રના કેટલાક અંશ જોઈએ -
પત્ર ક્રમાંક ૭૭૨. મુમુક્ષ, સાધુ, સંત, ગુરુ, શિષ્ય, પુત્ર, ગૃહસ્થ દરેકને માર્ગદર્શક આ પત્રમાં શ્રીમદ્જી ફરમાવે છે
કેટલાક રોગાદિમાં ઔષધાદિ પ્રાપ્ત થાય છે અને અસર કરે છે. કેટલાકમાં ઔષધિ પ્રાપ્ત થતી નથી, અસર પણ કરતા નથી. અમુક કર્મબંધ કેવા પ્રકારનો છે તે તથારૂપ જ્ઞાનદષ્ટિ વિના જાણવું કઠણ છે. એટલે ઔષધાદિ વ્યવહારની પ્રવૃત્તિ એકાંતે નિષેધી ન શકાય. પોતાના દેહના સંબંધમાં કોઈ પરમ આત્મદૃષ્ટિવાળો પ્રપ તેમ વર્તે તો, એટલે ઔષધાદિ ગ્રહણ ન કરે તો તે યોગ્ય છે, પણ બીજા સામાન્ય જીવો વર્તવા જાય તો એકાંતિક દૃષ્ટિએ હાનિ કરે.'
શ્રીમદ્જીના પત્રના આ ભાવ સમજતા વિચારવાનું કે આપણે તો સંતો, સ્વજન, માતા-પિતા કે આશ્રિતોના રોગ કે પીડા સમયે સંપૂર્ણ વૈયાવચ્ચ કરવાની કારણકે તે સ્વ-પર કલ્યાણકારી છે.
નગરથી ઉપવન તરફ જતાં રાજમાર્ગ પર ચાલી જતી બે સહિયરોએ એક દૃશ્ય જોયું. કૌતુકભરેલા દૃશ્યને નિહાળવા એ બન્ને સખી આગળ ચાલી.
નગરશ્રેષ્ઠી હાથીની અંબાડી પર બેઠેલા હતા. બાજુમાં મહાવત, આગળપાછળ સેવકો ચાલી રહ્યા હતા. રાજમાર્ગથી રસ્તો ફંટાયો, નાનકડો રસ્તો ઉપવન તરફ જતો હતો, ત્યાં શ્રેષ્ઠી હાથી પરથી ઊતર્યા અને ઘોડા પર બેઠા. થોડું આગળ ચાલતા એક પગદંડી આવી. શ્રેષ્ઠી ઘોડા પરથી ઊતર્યા. અનુચરો પાલખી લઈને ઊભા હતા તેમાં શ્રેષ્ઠીને બેસાડી ઉબડ-ખાબડ કેડી પર જરા પણ આંચકો ન આવે તેમ ભોઈઅનુચરો પાલખી ઊંચકીને ચાલવા લાગ્યા. ઉપવન આવતા શ્રેષ્ઠી નીચે ઊતર્યા અને બંગલામાં મખમલી તળાઈ સાથેની ફૂલ જેવી શૈયા પર સૂતા. અનુચરો પગ દબાવવા લાગ્યા એ કૌતુકભર્યું દૃશ્ય જોતાં એક સખી બીજી સખીને પૂછે છે :
હાથી બેઠો, ઘોડે બેઠો બેઠો પાલખીમાંય કિયા દિનકો થકો, સખીરી પડવો દબાવત પાય''. આ શેઠ હાથી-ઘોડા ને પાલખીમાં જ બેઠા છે, ચાલ્યા લગીરે નથી, તો ક્યા
૪૬