________________
સાત્ત્વિક સહચિંતન શિબિર
જ
સાત્ત્વિક સહચિંતન શ્રીમદ્જીએ ઝવેરાતના ધંધામાં પોતાનો લાખો રૂપિયાનો નફો જતો કરી સામેવાળાની મૂંઝવણ દૂર કરી જિંદગી બચાવી હતી. ધર્મ-નીતિ અને અધ્યાત્મનું અર્થશાસ્ત્ર નિરાળું છે. તેમાં ગમે તે રીતે નફો ગાઠ કરી લેવાની વાત નથી. વ્યક્તિ, પરિસ્થિતિ અને સંજોગોને પણ આર્થિક વ્યવહાર કરતી વખતે લક્ષમાં લેવામાં આવે છે.
સામેવાળાની લાચાર પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી શોષણ કરવું, અન્યની શારીરિક પાયમાલી થાય, માનસિક અથવા નૈતિક અધઃપતન થાય, અન્ય જીવોને દુભાવીને કે હણીને હિંસા દ્વારા થતી આવક ન્યાયસંપન્ન વૈભવ નથી. તંદુરસ્ત સમાજ કે રાષ્ટ્રના નિર્માણ માટે આ પાયાની વાત છે.
ટૂંકમાં, ન્યાયસંપન્ન વૈભવ એટલે હિંસા, અન્યાય, શોષણ કે અનૈતિક ધંધા દ્વારા સંપત્તિ કે વૈભવની પ્રાપ્તિ ન કરવી, નીતિમય માર્ગે આજીવિકા કે સંપત્તિ પ્રાપ્ત કરવી.
ન્યાયમાર્ગે આવેલી સંપત્તિ આપણે સુખપૂર્વક ભોગવી શકીશું અને પરિવારમાં સંતોષ અને પ્રસન્નતાનું વાતાવરણ જળવાઈ રહેશે.
હિંદના દાદા, દાદાભાઈ નવરોજી એમના મુંબઈના કેટલાક મિત્રોના આગ્રહથી, તે મિત્રોએ વિલાયતમાં એક પેઢીની સ્થાપના કરી હતી, તેમાં પોતે પણ સામેલ થયા હતા.
પેઢી ખૂબ સારી ચાલતી. વર્ષને અંતે તેના સરવૈયામાં સારો એવો નફો થયો. ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી થવા લાગી. દાદાભાઈને નફાના ભાગ સાથે ધંધાની લેવડ-દેવડના પ્રૉફિટ ઍન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સશીટ (સરવૈયું)ના કાગળો આપવામાં આવ્યા. તે વાંચ્યા પછી દાદાભાઈએ પોતાનો ભાગ લેવાની ના પાડી. તેનું કારણ દર્શાવતાં કહ્યું કે,
આપણી પેઢીમાં દારૂ અને અફીણનો પણ વેપાર થાય છે એ આ હિસાબના કાગળો વાંચી-જાણી મને દુઃખ થાય છે. લોકોને દારૂ અને અફીણ વેચી કોઈને દારૂડિયા કે અફીણના બંધાણી બનાવવા એ પાપ છે. આવા પાપના માર્ગની કમાણીનો ભાગ મારે જોઈતો નથી અને મારે પાપના ભાગીદાર બનવું નથી’. આમ કહી તે પેઢીમાંથી ભાગીદાર તરીકે છૂટા થઈ ગયા. આના પરથી આપણે જાણી શકીએ કે તે ન્યાયસંપન્ન વૈભવ અને સાધનશુદ્ધિના સાચા આગ્રહી હતા. ન્યાયસંપન્ન વૈભવ અને સાધનશુદ્ધિના આવા પ્રયોગવીરોને અભિનંદના !
ગુણવંત બરવાળિયાનાં પુસ્તકો
સર્જન તથા સંપાદન ખાંભા (અમરેલી)ના વતની ગુણવંતભાઈએ c.A. સુધી અભ્યાસ કર્યા બાદ, હાલ ટેકસ્ટાઈલ ઇન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. જૈન કૉન્ફરન્સના મંત્રી, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ-ચીંચણી, કલ્પતરુ સાધના કેન્દ્ર-દેવલાલી, પારસધામાં સંઘ ઘાટકોપર, પ્રાણગુર જૈન સેંટર, એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશનની સ્પંદન હોલીસ્ટીક ઇન્સ્ટિટયૂટ વગેરેમાં ટ્રસ્ટી છે. ઘણી સંસ્થાઓના મુખપત્રમાં તંત્રી તરીકે સેવા આપેલ છે.
અમેરિકા, સિંગાપોર વગેરેમાં તેમનાં સફળ પ્રવચનો યોજાયાં છે. તેમનાં ધર્મપત્ની મધુબહેને હિન્દી સાહિત્યમાં ડૉકટરેટ કરેલ છે. જૈન વિશ્વકોશ, “ગુજરાત વિશ્વકોશ” તથા જૈન આગમાં મિશન સાથે સંકળાયેલા છે. • હૃદયસંદેશ • પ્રીત-ગુંજન : શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન • અમૃતધારા • સમરસેન વીરસેન કથા • સંકલ્પ સિદ્ધિના સોપાન • Glimpsis of world Religion • Introduction to Jainism • Commentray on non-violence. Kamdhenu (wish cow). Glorry of detachment - ઉપસર્ગ અને પરીષહું પ્રધાન જૈન કથાઓ - વિનય ધર્મ કે ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના • ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા • આગમ અવગાહન • જ્ઞાનધારા (ભાગ ૧ થી ૧૫) (જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિવિધ વિદ્વાનોના પ્રસ્તુત થયેલા નિબંધો અને શોધપત્રોના સંગ્રહ) - કલાપીદર્શન (ડૉ. ધનવંત શાહ સાથે) વિચારમંથન • દાર્શનિક દેશ • અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે) • જૈન ધર્મ (પરિચય પુસ્તિકા) • અહિંસા મીમાંસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) • ચંદ્રસેન કથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) • અમરતાના આરાધક • જૈન દર્શનમાં કેળવણી વિચાર • જૈન દર્શન અને ગાંધીવિચારધારા - અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી • આપની સન્મુખ • મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) • વીતરાગ વૈભવ : આગમ દર્શન • જૈન કથામાં સોધના સ્પંદનો - જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના - વિશ્વ વાત્સલ્યનો સંક૯પ વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્પનાં વિવિધ સ્વરૂપો) • આધ્યાત્મિક કાવ્યોમાં આત્મદર્શન : જીવનસંધ્યાએ અરુણોદય : સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય ધર્મોનો પરિચય) • આદર્શ કેળવણીને ઉપનિષદ અણગારનાં અજવાળાં (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે) • ઉરનિર્ઝારા (કાવ્ય સંગ્રહ) તપાધિરાજ વર્ષીતપ • ઉત્તમ શ્રાવકો : દામ્પત્યવૈભવ ( દાંપત્યજીવનને લગતા લેખોનો સંચય) - ભગવાન મહાવીર અને સંયમજીવન છે. મૃત્યુનું સ્મરણ (મૃત્યુ ચિંતન) • Aagam An Introduction Development & Impact of Jainism in India & abroad. 8 Red • અધ્યાત્મ આભા • શ્રી ઉવસગર સ્તોત્ર : એક અધ્યયન : શ્રુતજ્ઞાનનાં અજવાળાં • જેન થાનકોમાં સબોધના સ્પંદન. • શૈલેશી (આલોચના અને ઉપાસના) • જૈન ધર્મના ચોવીશ તીર્થંકરો • જેન વિશ્વકોશ (ડૉ. કુમારપાળ દેસાઈ સાથે)
E-mail: gunvant.barvalia@gmail.com
022 - 42153545
-૧પ૦
-૧૪૯