________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮) ઉત્કૃષ્ટ રહે છે. માન અને અપમાનવૃત્તિપૂર્વક મહાસંઘાદિની સેવામાં પ્રવૃત્ત થવું એ અધમસેવા છે અને જૈન મહાસંધ વગેરેની સેવામાં માન, અપમાન અને યશકીર્તિ આદિની પ્રાપ્તિ માટે વા અન્ય કેઈ સ્વાર્થને લેઈ પ્રવૃત્તિ કરવામાં આવે એ મધ્યમ સેવા છે અને માન તથા અપમાનની લાગણી વિના કેઈપણ પ્રકારની કામના વિના નિષ્કામભાવે સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓએ ચતુર્વિધ મહાસંઘની સેવા એ ફક્ત પિતાની ફરજ છે એમ માનીને જે સેવા કરવામાં આવે છે, તેને ઉત્તમ સેવા અવબોધવી. હું ફક્ત મારી શક્તિ અને સ્વાધિકાર પ્રમાણે સ્વસેવારૂપ સ્વફરજને અદા કરું છું તે કર્યા વિના છુટકે નથી, તે આવશ્યક કર્તવ્ય છે એમ અવધીને જે મનુષ્ય જૈન મહાસંઘ જૈનધર્મપ્રસારગતિ-પ્રવૃત્તિ વગેરેમાં ઉઘુકત થાય છે, તે સંવર નિર્જર ત વડે આત્મોન્નતિપૂર્વક મહાસંઘન્નતિ કરી શકે છે. સ્વવ્યકિત રૂપ વ્યષ્ટિની ઉન્નતિ કરવા માટે મતસહિષશુતા, માન અને અપમાનને સહવાની શકિતને, સામાન્યતઃ અનેક પ્રકારનું સહન કરવાની શક્તિને જે આચારમાં મૂકી ખીલવે છે, તે જૈન મહાસંઘ-દેશ સમાજ અને સમસ્ત દેશ, જનસમાજ રૂપ સમષ્ટિની પ્રશસ્ય વાસ્તવિક પ્રગતિમાં આત્મભોગ સમર્પવા શક્તિમાન થાય છે. જેને મહાસંઘરૂ૫ એક સમષ્ટિની સેવા કરનારે સમયજ્ઞ થવું જોઈએ અને સર્વ મનુષ્યની સાથે હળી મળીને ચાલવાનું શિક્ષણ ગ્રહીને આચારમાં મૂકવું જોઈએ. જ્યાં સુધી મનુષ્ય સમયt થયે નથી ત્યાંસુધી તે ગમે તે દક્ષ હોય તે પણ કોઈપણ જાતની ધાર્મિક વા વ્યાવહારિક સમાજસેવાનું
For Private And Personal Use Only