Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 80
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૯) પ્રથમ પગથીયું છે. ગંભીરતા ગુણ વિના ઉચ્ચ સત્તાની પદ્ધીઓ પર ચઢેલા ભયંકર રાક્ષસ જેવા પાપ કરવા શક્તિમાન થાય છે. ગંભીરતા ગુણ વિના વિદ્યા, લક્ષમી, સત્તા, બળ જેમ જેમ વિશેષ પ્રમાણમાં વધે છે, તેમ તેમ સ્વની અને વિશ્વની વિશેષતઃ હાનિ કરવા સમર્થ બને છે. આચાર્યોએ, ઉપાધ્યાચએ, પ્રવર્તકેએ, પંન્યાસાએ, સાધુઓએ, સાદવીઓએ, શ્રાવકોએ અને શ્રાવિકાઓએ ગંભીરતા ગુણ ખીલવવા માટે ખાસ કાળજી રાખી સતત યત્ન ખંતપૂર્વક કરવું જોઈએ. સાધુ, સાધવી સંબંધી જાહેર પત્રોમાં ગંભીરતા વિના જૈનશાસનની હેલના–નિંદા થાય તેવા લખાણે પ્રકટ થાય છે, તેમજ પરસ્પર એકબીજા સાધુઓની, સાધ્વીઓની, શ્રાવકની, શ્રાવિકાઓની નિંદાહેલના થાય છે અને તેથી જૈનશાસનને અધપાત થાય છે; અતએ ગંભીરતા ગુણને મન, વાણું, કાયાથી ખીલવવા પ્રત્યેક સંઘવ્યક્તિએ લક્ષય દેવું જોઇએ. ગંભીરતા સાથે અભેદભાવ ગુણ ખીલવવા પ્રત્યેક મહાસંઘ વ્યક્તિએ લક્ષ્ય દેવું જોઈએ. સવ મહાસંઘ સાથે પિતાને અભેદ અવધી તેને આચારમાં મૂકી જે સેવકે દેશ, કામ, ધર્મની સેવા કરે છે, તેઓ આત્મસમર્પણ કરવાનું અથવા સર્વ વસ્તુઓને ત્યાગ કરી સેવા કરવાને શક્તિમાન થાય છે. વિશ્વવર્તિ સર્વ જનસમાજની સાથે વા સર્વ પ્રકારના વિશ્વવર્તિ જેની સાથે પિતાના આત્માને અભેદભાવ ધાર્યા વિના વિશુદ્ધ પ્રેમ, વાર્થ ત્યાગ અને ઉદારભાવ પ્રકટી શક્ત નથી. આત્મદષ્ટિનું વર્તન જેમ જેમ અનંતતામાં સમાવા પ્રગતિ કરે છે, તેમ તેમ સંકુચિત વર્તુલેમાં વહેંચાયેલે પ્રેમઉપકાર-ઉદારભાવ-ત્યાગ અને સેવા એ મહાવલનું રૂપ ધારણ કરી છેવટે અનંત વર્તુલની અભેદ ભાવનાને ધારણ કરી શકે છે. એક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117