Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 81
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૦), ભાવનાનું દષ્ટિ વર્તુળ જેમ જેમ વધતું જાય છે, તેમાં સ્વાર્થબુદ્ધિને તે તે અંશે નાશ થાય છે, અને તે તે અંશે પરમાર્થ બુદ્ધિની અભેદ ભાવનામાં પણ વૃદ્ધિ થાય છે. અભેદ ભાવમાં અને ઉદાર ભાવમાં અમુક દૃષ્ટિએ અમુકાથે સમાનત્વ અને અમુક દૃષ્ટિએ અને અમુકાર્યની અપેક્ષાએ અસમાનત્વ પણ છે. અભેદ ભાવથી ઔદાર્ય ભાવ ખીલવાની સાથે સેવાનું મર્યાદિતપણું વિલય પામતું જાય છે, અને સેવાનું અમર્યાદિત ખરેખર અનંતતા સન્મુખ પ્રવર્તતું જાય છે. નિષ: પતિ જળના लघुचेतसां उदारचरितानांतु वसुधैव कुटुम्बकम् मे Rai પ્રકથિત ભાવાર્થવત્ આચરણ કરવાને અભેદ ભાવનાવાળે સમર્થ થાય છે. પ્રત્યેક જેને ચતુર્વિધ સંઘની સાથે મહાર અભેદ છે, ચતુર્વિધ સંઘ તેજ હું છું. તેના જે શુભ વિચારે તે મહારાજ વિચારે છે, તેની ઉન્નતિ તે હારીજ ઉન્નતિ છે, તેની સેવા તે હારી પિતાની સેવા છે, તેને જે આત્મા તે મહારાજ આત્મા છે, તેની શેભા તે હારી શોભા, તેની હાનિ તે હારીજ હાનિ, તેની જાહેજહાલી તે મહારીજ જાહેરજલાલી, તેનું જે શુભ તે હારું જ શુભ અને ચતુર્વિધ મહાસંઘમાં મહારે પ્રાણઆત્મા, મન, વાણી અને કાયાને અભેદ છે–એમ અભેદભાવ દષ્ટિને ક્ષણે ક્ષણે હદયમાં ધારણ કરીને તે પ્રમાણે આચારમાં મૂકી પ્રવર્તવું જોઈએ. શ્રી ચતુર્વિધ મહાસંઘમાં ભૂતકાળમાં જે ઉન્નતિ હતી તે જ હારી ઉન્નતિ હતી, વર્તમાનમાં જે ઉન્નતિ થાય છે તે મારી ઉન્નતિ થાય છે અને તેની ભાવિ ઉન્નતિ તે પણ હારી ભાવિ ઉન્નતિ છે. ચતુર્વિધ સંઘના દરેક શુભ મંગળની સાથે મહારા આત્માનું મંગળ છે. હું તેજ ચતુર્વિધ મહાસંઘ છું. હારી સવ શક્તિઓ શ્રી ચતુર્વિધ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117