________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૪)
શ્રી ચતુર્વિધ મહાસંઘની રક્ષા શાંતિ તુષ્ટિ પુષ્ટિ વૃદ્ધિ વાર પ્રગતિ ઇચ્છનાર સેવકે સેવાના પ્રત્યેક માર્ગથી વાકેફ થવું જોઈએ. જે મનુષ્ય સેવાધર્મની મહત્તા અવબોધી શકતે નથી તે મનુષ્ય સેવક પણ બની શક્તા નથી અને સેવક પશ્ચાત્ પ્રાપ્ત થનાર સ્વામીપદને પ્રાપ્ત કરી શકતો નથી. શ્રી મહાસંઘને સેવક બનીને જે મહાસંઘની સ્વશકત્યનુસાર સેવા કરે છે તે તીર્થકરની સેવા કરવાનો અધિકારી બની શકે છે. જે શ્રીમહાસંઘની સ્વશકત્વનુસાર સેવા કરી શકતું નથી, સંઘની પ્રગતિમાં આત્મભેગપૂર્વક સેવા ધર્મ વડે પ્રવૃત્ત થતું નથી તે શ્રતીર્થંકર પરમાત્માને સેવક બની શકતું નથી. શ્રી ભદ્રબાહુ સ્વામીએ શ્રીસંઘની. આજ્ઞા માન્ય રાખીને નેપાલમાં સ્થૂલભદ્ર વગેરે સાધુઓને વાચના આપી હતી. શ્રીમહાસંઘ એ પચીશમે તીર્થકર છે. તેના ઉપર જેને પ્રેમ નથી, તેને તીર્થકર ઉપર પણ પ્રેમ નથી. શ્રીચતુર્વિધ સંઘના સ્તંભભૂત શાસક આચાર્યોની જે નિંદા કરે છે, તે શ્રી તીર્થંકરની આશાતના કરે છે. શ્રી ચતુર્વિધ. મહાસંઘની જે નિંદા કરે છે તે જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધે છે. જેટલા તીર્થ કરાદ પંચપરમેષ્ઠિઓ થયા, થાય છે અને થશે તેની ખાણભૂત શ્રી ચતુર્વિધ મહાસંઘ છે માટે શ્રી ચતુર્વિધ. મહાસંઘની સેવા કરવી એજ આત્મજ્ઞાતિનું પ્રથમ પગથી€ છે. શ્રીચતુર્વિધ મહાસંઘની પ્રત્યેક વ્યક્તિને શ્રીમહાસંઘની સેવા કરવાની આવશ્યકતા હૃદયમાં પ્રકટવી જોઈએ. વિશ્વવતિલકવ્યવહારનાં જે જે આવશ્યક કમે છે. તેના કરતાં લેકત્તર મહાસંઘની સેવા કરવી–એ ખાસ ધાર્મિક આવશ્યક મેક્ષપ્રદ કર્મ રમવબોધવું. જૈન ધર્મના શાસક પ્રવર્તક જૈનાચાર્યો
For Private And Personal Use Only