________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મતની સિદ્ધિ તથા તેને પ્રચાર કરવા શ્રાવકને દષ્ઠિરાગમાં આકર્ષે, તેનું પરિણામ એ આવે કે ગામના શ્રાવકે ભિન્ન ભિન્ન મતમાં વહેંચાઈ જાય. શ્રાવક સંઘમાં ધર્મનું એક કાર્ય કરવામાં મતભેદથી કુસંપ થાય. સાધુઓ પણ તેવા ઉપદેશથી કાંઈ કાર્ય કરી શકે નહિ અને શ્રાવકે કયા સાધુનું કથન સત્ય છે તે પરિપૂર્ણ ન સમજવાથી તેઓ ઈદં તૃતીયમ મત બાંધે, તે ગામના શ્રાવકે ફક્ત સાધુઓને તમારો દે છે અને અંતરની ગુરૂબુદ્ધિની પૂર્ણ શ્રદ્ધા વિનાના થઈ ગુરુની આજ્ઞા વિનાના બને અને તેથી જૈન સંઘનું બળ વધી શકે નહિ, જેથી આચાર્યની આજ્ઞા માન્યા વિના મહાકાર્ય કરી શકે નહિ. જે જે સાધુઓ વિદ્યમાન હોય તેઓની સત્તાથી નિરંકુશ બનેલા ગૃહસ્થ જૈનેની મરજી અથીત રાગ ઉપર તે સાધુઓનું અસ્તિત્વ-જીવન ઉભું રહે, ભિન્ન ભિન્ન મત વિચારવાળા સાધુઓના ઉપદેશથી ગામેગામ અને દેશદેશના ગૃહસ્થ જૈને કર્યું ખરું? તેના ગુંચવાડામાં પડી જાય તેથી સાધુએ અને આચાર્યોની પડતીનાં બીજ રોપાય અને પુનઃ તેવી દશાના સ્થાને ઈદમ તૃતીયમ ઉભું થાય. તેથી ધર્મની પ્રગતિને નાશ થાય, માટે પરસપરમાં સુવ્યવસ્થા રાખવા માટે આચાર્ય આજ્ઞા-સત્તાને શિરેવંઘ માની તે પ્રમાણે પ્રવૃત્તિ એક સરખી રાખી અનેકનયસાપેક્ષષ્ટિમાન્ય પ્રગતિશૈલીએ આચાર્યની આજ્ઞા મુજબ ઉપદેશક સાધુઓએ ઉપદેશકત્વવ્યવસ્થાથી ઉપદેશ રે જોઈએ. જૈન કેમે પૂર્વ કરતાં અધુના શું મેળવ્યું? વા કેટલું ખાવું? તેને વ્યાવહારિક વા ધાર્મિક ઇતિહાસજ્ઞાનવડે વિચાર કરવું જોઈએ. જેનોની પૂર્વે ચાલીસ કરેડ લગભગ વસતી હતી. અનેક રાજાઓ અને અનેક દેશનાં રાજ જેના તાબામાં હતા. કરાડાધિપતિ અનેક જને
For Private And Personal Use Only