________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિરુદ્ધ એલવાથી સાધુવર્ગની પડતી થાય છે. માટે સેવા કરનારા સાધુએ, સાધ્વીઓ, શ્રાવક, શ્રાવિકાઓએ જૈન મહાસંઘની પ્રગતિના કારણે અનેક પ્રવૃત્તિ કરવામાં ગંભીરતા ગુણને ધારણ કરવું જોઈએ. ગભીરતા સિવાય સેવા પ્રવૃત્તિમાં એક ક્ષણમાત્ર પણ ચાલે તેમ નથી. ગંભીરતા ગુણ વિના જૈન ધર્મ અને જૈન મહાસંઘની ઉન્નતિમાં પ્રવૃત્તિ કરતાં એક શ્વાસોચ્છવાસ પણ લઈ શકાય તેમ નથી. એ ગુણવિના તુચ્છ મનને મનુષ્ય મહાસંઘરૂપ સમષ્ટિમાં કોઈ વખત મહત્પાત પ્રકટાવે છે. ગંભીરતા એ મનુષ્યને ઉચ્ચ ગુણ છે. એ ગુણમાં જેમ વિશેષ સ્થિરતા થાય તેમ વપરોતિ કરવામાં મનુષ્ય વિશેષતઃ શક્તિમાન થાય છે. ગંભીર મનુષ્ય સાગરની ઉપમાને ધારણ કરવા શક્તિમાન થાય છે. મહાસંઘની પ્રત્યેક વ્યક્તિમાં ગંભીરતા આવે છે ત્યારે તે પ્રગતિમાં ભાગ લેવા સમર્થ બને છે અને તેવી વ્યક્તિ સર્વ મહાસંઘની સાથે હળીમળી રહેવા સમર્થ બને છે. ગંભીર મનુષ્ય પિતાના ઉરચ ચારિત્ર્યની પ્રસિદ્ધ કરે છે અને તે અનેક મનુષ્યને વિશ્વાસપાત્ર થાય છે. જૈન મહાસંઘના અંગભૂત સાધુવર્ગ, સાવર્ગ, શ્રાવકવર્ગ અને શ્રાવિકાવર્ગમાં ગંભીરતા ગુણ ખીલી નીકળે તે તેથી પરસ્પર એકબીજાના દોષને કહી શક્તાં નથી એટલું જ નહિ પરંતુ તે દેને આચ્છાદીને પ્રત્યેક અંગની સેવામાં ગંભીરતાથી પ્રવૃત્તિ કરે છે. નિંદા,
ષષ્ટિ, પરના અવર્ણવાદ વગેરે દોષે ખરેખર ગંભીરતા વિના ઉદ્દભવે છે. અતએવા વ્યક્તિ-વ્યષ્ટિના ગુણે ખીલવવા અને મહાસંઘની સેવા કરવા ગંભીરતા ગુણને નિષ્કામવૃત્તિથી અનેક વિપત્તિઓમાં ધારણ કરે એજ ખરેખરૂં મહાસંઘસેવાનું
For Private And Personal Use Only