Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 70
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) અનુમતિ લેઇ ચૈામાસું કરવું, પણ અન્યગચ્છીય ક્ષેત્રના શ્રાવકાનંદ પરસ્પરની ફૂટથી અન્યગચ્છીય આચાર્યની સત્તાને નાશ થાય એવી રીતે ચેમાસું ઉપદેશ વિગેરે પ્રવૃત્તિએ સેવવી નહિં. ૯ સ્વગચ્છ સાધુઓમાં અને સાધ્વીઓમાં ધાર્મિક જ્ઞાનની પ્રગતિ થવી જોઇએ. ધાર્મિક કેળવણીની પ્રગતિ વિના કદી ધાર્મિક સમાજની સુધારણા થઇ નથી અને કદાપિ ભવિષ્યમાં થશે નહિ. ઇંગ્લાંડ, જમની વગેરે દેશના લેાકેા કેળવણીથી વ્યાત્રહારિકાન્નતિમાં કેટલા બધા આગળ વધ્યા છે તે ખાસ વિચારવાની જરૂર છે; વત માન જમાનામાં ધાર્મિક કેળવણીની પ્રગતિ વિના સાધુઓની અને સાવીએની કદાપિ અસ્તિત્વ અને સ રક્ષકત્વપુર્વક પ્રગતિ થવાની નથી. જ્ઞાન વિના મનુષ્ય અંધ શ્રદ્ધાળુ રહે છે, જ્ઞાન વિના કદાપિ દ્રવ્યક્ષેત્ર, કાળ અને ભાવનું સ્વરૂપ અવષેધાતું નથી. જ્ઞાન વિના સાધ્ય અને સાધકભાવનું ભાન રહેતું નથી. જ્ઞાન વિના સ્વાતંત્ર્ય અને પારતંત્ર્ય એ એ માર્ગનું અનુકરણ થતું નથી. જ્ઞાન વિના સ્વપરનું કલ્યાણ કરી શકાતું નથી, જ્ઞાન વિના સ્વસ્વરૂપ અને પરસ્વરૂપનું ભાન થતું નથી. જ્ઞાન વિના ધાર્મિક કૃત્યો કેવી રીતે કરવાં અને ક્ષેત્રકાળાનુસારે કેવી રીતે વર્તવું તે. ખાસ વિચારાતું નથી. જ્ઞાન વિના ક્તવ્ય અને અકત્ર્યનું સ્વરૂપ અવબાધાતું નથી. જ્ઞાન વિના ગચ્છ સંઘાદિ સ રક્ષણા િ કચેગમાં આત્માની શુદ્ધિ રહેતી નથી. જ્ઞાન વિના રાગદ્વેષની પરિણતિના નાશ થતા નથી. જ્ઞાન વિના કર્મચેગમાં સ્વરની નિષ્કામભાવના રહેતી નથી. જ્ઞાનની કેળવણી વિના દેશ, સમાજ, સંધ અને વ્યક્તિની પ્રગતિ થવાની નથી. ગમે તેવા ઉપાયે વડે જ્ઞાનની કેળવણીની પ્રગતિ કર્યાં વિના વિશ્વમાં-ધર્મમાં આગળ વધી શકાતુ નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117