________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૨). છે એ દઢ નિશ્ચય થયા વિના શારીરિક વય અને આત્મિક વિયની સંરક્ષા–વૃદ્ધિ પ્રગતિ થઇ શકતી નથી, એ ધ્યાનમાં રાખી સાધુઓએ અને સાઠવીઓએ ઉપરની વાત ધ્યાનમાં લઈ આચારમાં મુકવી. શ્રાવક સંઘ અને શ્રાવિકા સંઘ વગેરેએ પણ શારીરિક વીર્યની સંરક્ષાર્થે ઉપરોક્ત બાબતને સ્વાધિકાર પ્રમાણે આચારમાં મુકવી જોઈએ. જ્યાં સુધી સ્વાધિકાર-
કચકર્મનું સમ્યક ભાન થતું નથી, ત્યાં સુધી સ્વાધિકાર-કર્તવ્યકમથે પ્રત્યેક જીવની મહત્તા અવધાતી નથી- વક્તચકર્મનું ભાન થયા વિના સ્વાધિકારક ફરજને અદા કરી શકાતી નથી. સ્વકતવ્યકમને કરવાં એમાં કોઈ જીવ સ્વફરજથી વિશેષ કાંઈ કરી શક્યું નથી તેથી કોઈપણ સ્વકર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં માન, પૂજા, સત્કાર, ચમત્કાર અને પરાભિપ્રાયની યુકિંચિત્ આવશ્યકતા નથી–એમ અવધીને મહા સંઘના પ્રત્યેક અંગે વીર્યરક્ષાદિ વકર્તવ્ય કર્મમાં સદા તત્પર રહેવું એજ સ્વધર્મ છે. અને તેથી અધિકારભિન્ન કર્તવ્ય તે પરધર્મ છે. સ્વકર્તવ્ય વડે સ્વધર્મમાં મરણ થાય તે શ્રેય છે, પરંતુ સ્વાધિકાર કર્તવ્ય કર્મધર્મથી ભિન્ન ધર્મમાં જીવવું તે પણ ભયાવહ છે. એમ કર્તવ્યધર્મદષ્ટિની અપેક્ષાએ અવધવું. વિશ્વવર્તી મહાસંઘના પ્રત્યેક અંગે વકર્તવ્ય ફરજેને અદા કરવા યોગમાર્ગનું અવલંબન કરવું જોઇએ. યેગમાર્ગના જ્ઞાન વિના સ્વયેગ્યતાની પરીક્ષા થતી નથી અને તેમજ પરની યોગ્યતાનું ભાન થતું નથી. યોગના અષ્ટાંગનું આરાધન કયથી આત્માની માનસિક, વાચિક અને કાયિક એગશક્તિઓ ખીલે છે અને તેથી મહાપ્રાણાયામ સાધક શ્રીભદ્રબાહુની પેઠે આમોન્નતિ કરી શકાય છે. અને અન્ય જીવોની ઉન્નતિમાં ઉપગ્રહ દાન કરી શકાય છે. યૌગિક
For Private And Personal Use Only