Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યાસ્કની કેટલીક વિશેષતાઓ તપસ્વી નાન્દી એ તે સુવિદિત છે કે ઉપલબ્ધ “ નિટુ' જેવા ઘણા અન્ય “નિઘટ્ટએ પણ હશે અને ઉપલબ્ધ યાસ્કાચાર્યના “નિરુક્ત’ જેવાં અન્ય નિરુક્તો પણ હશે. છતાં, આપણે માટે હાલ એ અન્ય સામગ્રી અનપલબ્ધ છે. આથી યાસ્કની રજુઆત અને લખાણ શૈલીમાં જે કેટલીક વિગતો જણાય છે તેને આપણે ત્રાટ અથવા ક્ષતિ કહેવાને બદલે વિશેષતા કહેવાનું જ પસંદ કરીશું કેમ કે, શકય છે કે શાસ્ત્રીય લખાણની જે વિદ્વત્તાપૂર્ણ અને રૂઢ તથા અત્યંત ચોકસાઈવાળી રજૂઆત અને લખાણની શૈલીના સંસ્કાર જે આપણે કેળવ્યા છે એવી ચીવટપૂર્વકની કંડારેલી, સંધેડા ઉતાર જડબેસલાક શૈલી યાસ્કના સમયમાં ન પણ વિકસી હેય. વળી, પાણિનિ અને યાસ્કના પૌવાં પય અંગે આપણે છાતી ઠોકીને વાત કરવાનું માંડી વાળીએ તે પણ એ તે નિર્વિવાદ છે કે યાસ્કના સમયમાં ભાષાની રૂખ એવી ન પણ હોય જેનાથી આપણે પાણિનિના સંસ્કારો સાથે ટેવાયેલા છીએ. અને માટે જ નિરુક્તમાં-ખાસ કરીને અહીં અધ્યાય ૧, ૨, ૪ અને ૭ ના સંદર્ભમાં–જે વિગતે ધ્યાના છે તેને આપણે ત્રુટિઓ કહેવાને બદલે વિશેષતાઓ જ કહીશુ. અલબત્ત યાસ્કકાલીન અન્ય સાહિત્ય સામગ્રી ઉપલબ્ધ થાય તે આપણી નૈધની પુનર્વિચારણા કરવી પણ પડે. આપણી તારવણી નીચે મુજબ છે : (૧) (નિ. અધ્યાય ૧-પ્રથમ પાદ) યાસ્ક વિષયને સીધે જ ઉપક્રમ કરે છે અને નોંધે છે કે એક “સમાપ્નાય” એક સંગ્રહ, સંકલિત કરાયો છે–સમાજનાતઃ પછી કહે છે : તમિમ સમાનાવું નિવ:” તિ માલતે 1 અહી સ્વાભાવિક ક્રમમાં આપણે ગ્રન્થ નામ–જો એવું માનીએ તો નિટુઃ” એવું હોઈ શકે. આ સમાસ્નાયને ‘નિવટુ' કહે છે. “નિધટુએ” એ બહુવચનને પ્રયોગ થોડે કઠે છે. અથવા “તનાં સમાનાથં નિઘાટું મારતે એવી સરળ વાકય રચના પણ થઈ શકી હોત. પણ, યાસ્કની આવી હરકતોથી આપણે ટેવાવું પડશે. આગળ તેઓ નોંધે છે : “નિઘટવઃ લક્ષ્માત ?” ત્યાં પણ ‘નિવટુ: માત? એવું યાસ્ક લખી શકયા હોત. (२) तद् यानि एतानि चत्वारि पदजातानि नामाख्याते च उपसर्ग निपाताश्व तानि इमानि भवन्ति । આ વાકય માનું છે. એક તરફ “નામાથા?’ એમ વિચનને પ્રયોગ છે, તેમાં બે પ્રકારનો “પદજાત” કહેતાં પદોના વર્ગ, કે પદ સમૂહનો ખ્યાલ છે “નામ” પ્રકારનો સમૂહ અને “આખ્યાત’ પ્રકારનો સમૂહ. હવે આગળ ચાલીએ, એ પ્રમાણે બીજા બે સમૂહોના નિદેશમાં આપણે ઉપસનિત્તે’ એવી અપેક્ષા રાખી શકીએ. અને કદાચ શાસ્ત્રશૈલીનું બરાબર અનુસરણ કરાય છે એમ જ લખી શકાય. પણ યાસ્ક મુક્ત ગગનમાં વિહાર કરતા વાદળ જેવા સ્વતંત્ર છે. તેમણે “૩ઘસનિપાતાઃ ર’ એમ લખ્યું. “નામાવલ્યાને” માં પણ બહુવચન પ્રયોજી શકાયું હેત ! તે પછી તાનિ ફુનિ મવત્તિ' છે. પ્રો. રાજવાડે પણ નોંધે છે કે અહી તાનિ “' (નિવટવ:) મવતિ એવું વચન હોવું જોઈએ. કદાચ વાસ્કના સમયની લખાણ શૈલીમાં લિંગ ભેદની એકસાઈ બહુ વજનવાળી ગણાતી નહીં હોય. અથવા, માનિ ને ઉદ્ગાતાનિ સાથે લઈએ તો વાત અધૂરી રહી જાય છે. * નિવૃત્ત અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ભાસ્કની કેટલીક વિશેષતાઓ]. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 108