Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 9
________________ શિષ્યા, મીજબુદ્ધિના સ્વામી અને ચતુર્થાંશપૂર્વ ની લબ્ધિને ધારણ કરનાર ગણધર ભગવંતા છે, એ વાતમાં લેશ પણ સંશય રહેતા નથી. અને તેથી પ્રતિક્રમણસૂત્રોનું મહત્ત્વ જૈન સંઘમાં આટલું ભારે કેમ છે? તથા જૈન સંઘમાં તેના પ્રત્યેના આદરભાવ એકસરખા કેમ ટકી રહેલ છે? તેનુ સ્પષ્ટીકરણ આપોઆપ થઈ જાય છે. સાથેાસાથ એ પ્રશ્નના ખુલાસા પણ થઈ જાય છે કે—પૂર્વાચા મહર્ષિઓ-વિરચિત સૂત્ર, નિયુક્તિ, ભાષ્ય, ચાણું અને ટીકા એ પાંચે ય શાસ્ત્રનાં અગા અસ્ખલિત રીતે જે સંઘમાં જળવાઈ રહ્યાં છે, તે સંઘના હિતસ્ત્રી પુરુષો જૈન સંઘના અભ્યુદય માટે ધાર્મિક અભ્યાસક્રમમાં સૌથી પ્રથમ સામાયિક-પ્રતિક્રમણનાં સૂત્રો ભણાવવાના આગ્રહ શા માટે ધરાવે છે. આવશ્યક સૂત્રોના મહિમા— અનન્તજ્ઞાની શ્રીઅરિહંત દેવના મુખકમળમાંથી નીકળેલાં અને બુદ્ધિનિધાન શ્રી ગણધરદેવાએ સંઘના હિત માટે એક અંતર્મુહૂતમાં જ રચેલાં સૂત્રાની અંતર્ગત શ્રીઆવશ્યક અને શ્રીઆચારાંગાદિ સૂત્રના મહિમા તથા તેનું અર્થગાંભી ખીજા બધાં શાસ્ત્રો કરતાં અધિક હાય, તે સહજ છે. સૂત્રરચનાની અપેક્ષાએ, અર્થા-ગાંભીયની આપેક્ષએ, સૂત્ર અને અર્થ તદુભયના વૈશિષ્ટયની અપેક્ષાએ ગણધરચિત કૃતિઓનું મૂલ્ય સૌથી અધિક છે. એ દષ્ટિએ પ્રતિક્રમણસૂત્રો અને તેને અભ્યાસ ચતુર્વિસ ધને મન અધિક આદરપાત્ર રહે, એમાં લેશ પણ આશ્ચર્ય પામવા જેવું નથી. ગણધરરિચત શ્રીઆચારાંગસૂત્ર આદિ અન્ય રચનાઓ કેવળ મુનિગણુને ચેાગ્ય અને તે પણ અધિકારી અને પાત્ર જીવાને યેાગ્ય હાઈ શ્રીઆવશ્યકસૂત્રનું સ્થાન તેનાથી વધારે વ્યાપક છે; કારણ કે તેને અધિકારી ખાળ, બુધ અને મધ્યમ એ ત્રણે પ્રકારના વ છે. ત્રણે પ્રકારના સાધુ અને શ્રાવક વર્ગને તે સૂત્રો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68