Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 11
________________ તેની ભાષા તથા તેમાં ભરેલા મહાન અર્થોસંબંધી અભ્યાસમાં રસ ઉત્પન્ન થતું નથી. એ જ રીતે શ્રદ્ધા પણ આજે જે તે વ્યક્તિ ઉપર, જેની તેની બુદ્ધિ ઉપર મૂકવાને લેકમાનસ ટેવાઈ ગયેલું છે. તેવી દશામાં શુદ્ધ વ્યકિતત્વવાળા, શુદ્ધ ચારિત્રવાળા, વિશાળ બુદ્ધિવાળા અને નિષ્કારણ કરુણાવાળા મહાપુરુષાએ મહાન પ્રોજનની સિદ્ધિ માટે જે સૂત્રો અને જે ક્રિયાઓ બતાવ્યાં છે, તેને અભ્યાસમાં કંટાળો, પ્રમાદ કે આળસ અનુભવાય તે પણ સહજ છે. આવશ્યકસૂત્રોની ભાષા સર્વશ્રેષ્ઠ છે, અથ ઘણું ગંભીર છે, રચના સર્વમંત્રમય છે, એ જાતિનું જ્ઞાન અને રચયિતા સર્વશ્રેષ્ઠ ચારિત્રસંપન્ન, સર્વોત્તમ બુદ્ધિના નિધાન, અને કેત્તર કરુણાના ભંડાર છે. એ જાતિની શ્રદ્ધા થયા પછી આવશ્યક સૂત્રોના અભ્યાસમાં તથા શાસ્ત્રોકત વિધિ અનુસાર નિત્ય પ્રતિક્રમણની ક્રિયામાં રસ ઉત્પન્ન ન થાય, તે બનવાજોગ નથી. બલકે બીજા બધા અભ્યાસે અને બીજી બધી ક્રિયાઓના રસ કરતાં તેને રસ ચઢી જાય તે છે, એ અનુભવ અવશ્ય થાય છે. તત્ત્વજ્ઞાનના ગ્રંથને અભ્યાસ પ્રથમ કેમ નહિ? આવશ્યક સૂત્રને અભ્યાસ કેવળ ક્રિયા કરનારાઓને ઉપયોગી છે. પણ જ્ઞાનની ઝંખનાવાળાને તેમાંથી કાંઈ વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થતું નથી, એવી પણ એક ફરિયાદ કરવામાં આવે છે. તેને ઉત્તર નિયંતિકાર ભગવાન શ્રીભદ્રબાહુસ્વામી પોતે જ નિર્યુક્તિની ગાથાઓમાં સચોટ રીતે આપે છે. સઘળાએ શ્રુતજ્ઞાનનો સાર ચારિત્ર છે અને સઘળાયે ચારિત્રનો સાર મેક્ષ છે. એ જિનશાસનને મુદ્રાલેખ છે. જે જ્ઞાનની પાછળ ચારિત્રને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68