Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 31
________________ અધ્યવસાયપૂર્વક પાછા ફરું છું. પ્રતિક્રમણ માટેનું આ સૂત્ર અને તેનું ઉચ્ચારણ તથા તેની અર્થગંભીરતા જૈન શાસનના પ્રણેતા પુરુષની પરમ જ્ઞાનસંપન્નતા, પરમ શીલસંપન્નતા. પરમ કારુણ્યશીલતા તથા સર્વોત્કૃષ્ટ શાસનસ્થાપકતા સૂચવે છે. ચારિત્રને પ્રાણ પ્રતિક્રમણ શ્રી જિનશાસનમાં સર્વનયસિદ્ધ આત્મવિકાસને સાર ચારિત્ર છે, જ્ઞાન ભણવાનું પણ ચારિત્રવિકાસ માટે છે, અને શ્રદ્ધા સ્થિર કરવાની પણ ચારિત્રને દઢ કરવા માટે છે. જ્ઞાનથી શ્રદ્ધા વધે છે, શ્રદ્ધાથી ચારિત્ર ઘડાય છે, અને ચારિત્રથી મેક્ષ મળે છે. જે જ્ઞાન શ્રદ્ધાને વધારનાર નથી પણ બગાડનાર છે, તે જ્ઞાન ઉપાદેય નહિ પણ હેય છે. જે શ્રદ્ધા ચારિત્રને વધારનાર નથી પણ ચુકાવનાર છે, તે શ્રદ્ધા આદરણય નહિ પણ ત્યાજ્ય છે. શ્રદ્ધા, જ્ઞાન કે ચારિત્ર એ આત્માના મૂળ ગુણ છે. પ્રત્યેક જીવાત્મામાં તે ત્રણે હોય છે, પરંતુ દરેક વખતે મોક્ષના સાધક હેય એમ બનતું નથી. સમ્યક શ્રુતજ્ઞાનની ભાવપૂર્વક પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી તે મેટે ભાગે મોક્ષના સાધક નહિ પણ બાધક જ હોય છે. મોક્ષસાધક ચારિત્ર ઉપર જેને શ્રદ્ધા નથી, તેને તેથી વિરુદ્ધ પ્રકારના વતન ઉપર શ્રદ્ધા હોય છે, કેમકે પ્રત્યેક વર્તનની પાછળ શ્રદ્ધા અને પ્રત્યેક શ્રદ્ધાની પાછળ જ્ઞાન આવશ્યક હોય છે. મેક્ષ સાધી આપનારું વતન એ ચારિત્ર છે, તેથી તે પણ શ્રદ્ધા અને જ્ઞાનની અપેક્ષા રાખે છે. મેફસાધક ચારિત્રને પુષ્ટ કરનારી શ્રદ્ધા અને એ શ્રદ્ધાને પુષ્ટ કરનારું જ્ઞાન, અનુક્રમે સભ્યશ્રદ્ધા અને સમ્યગજ્ઞાન કહેવાય છે. એક પણ પદ કે એક પણ વાકય મોક્ષને સાધક ચારિત્રગુણની પુષ્ટિ કરનાર તે તે શ્રી જિનાગમને અંશ છે, કારણ કે–શ્રી જિનાગમ ચારિત્રગુણની પુષ્ટિ અને ચારિત્રગુણની વૃદ્ધિ દ્વારા મેક્ષ માટે નિર્મિત થયેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68