Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 20
________________ ૮ ભાવના એ જુદી વસ્તુ છે અને વસ્તુસ્થિતિ એ અલગ વાત છે. વસ્તુસ્થિતિની દૃષ્ટિએ સંસારી આત્મા એ કેવળ ચૈતન્ય એટલે ભાવનાનું પૂતળું નથી કે કેવળ જડકમ એટલે પુદૂગલની રચના નથી. કિંતુ જડકમ અને ચૈતન્યભાવનું સંમિશ્રણ છે. એ સંમિશ્રણ પણ કેવળ સયાગસંબંધરૂપ નથી, પણ કથ'ચિત્ તાદાત્મ્ય (અભેદ ) સંબંધરૂપ છે. એ સમધને જણાવવા માટે શાસ્ત્રોએ ક્ષીરનીર અને લેહાગ્નિન્યાય આગળ ધર્યાં છે. ક્ષીર અને નીર તથા લાડુ અને અગ્નિ પરસ્પર અલગ હેાવા છતાં જેમ એકબીજા સાથે પરસ્પર અનુવિદ્ધ થઈને મળી જાય છે, તેમ જીવ અને કર્માં પણ પરસ્પર અનુવિદ્ધ થઈને મળેલાં છે, એ મેળાપ જ્યાં સુધી અલગ ન થાય ત્યાં સુધી અન્ને ય પરસ્પરની અસરથી મુક્ત થઈ શકતાં નથી. જીવ ઉપર ની અસર છે અને ક ઉપર જીવની અસર છે. જીવની અસરથી પ્રભાવિત થઈને કના પુદ્ગલમાં જીવને સુખ-દુઃખ આપવાની શક્તિ પેદા થાય છે, અને કુની અસર તળે આવીને જીવ વિવિધ પ્રકારનાં સુખદુ:ખ, અજ્ઞાન અને મેાડુના વિપાકા અનુભવે છે. આ વસ્તુસ્થિતિ જેએ જાણતા નથી અથવા વિપરીત રીતિએ જાણે છે, તે એકલી ભાવનાના બળથી કે કેવળ એકલી ક્રિયાના બળથી મુક્તિ મેળવવાના અશૂન્ય પ્રયાસ કરે છે. અધ્યાત્મ કે મેાક્ષના નામે વિવિધ પ્રકારના મતેાની ઉત્પત્તિ પણ આ વસ્તુસ્થિતિના અજ્ઞાનનું જ ફળ છે. કેટલાક કને વાસનારૂપ માને છે, કેટલાક અવિદ્યારૂપ માને છે, અને કેટલાક તેને કેવળ ભ્રમરૂપ માને છે. તેથી તેનુ નિવારણ કરવાના ઉપાય પણ તેવા જ પ્રકારના કુપે છે અને કેવળ માનસિક ઉપાયાથી તેના ક્ષય માને છે, પણ ક` કેવળ વાસના કે માનસિક ભ્રમણારૂપ નથી; પરંતુ એ ભ્રમણા પણ જેમાંથી જન્મે છે, તેવા પૌલિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68