________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવાત્મા કષાથી કયારે?
૩૩ કંડરિક મુનિનું પતન થયું, ને સાતમી નરકમાં ધકેલાઈ ગયા. આ સંજ્ઞાના પાપે મંગુ આચાર્ય જેવા અતિ લોકપ્રિય અને બહુશ્રુત આચાર્યને નગરની ખાળના દેવ બનવાનો વારો આવ્યો.
ભવસંજ્ઞાની ભીંસમાં આવેલ જીવ શું કપાયોથી બચી શકે? ના રે ના! ભય ક્યારે ઉત્પન્ન થાય છે? રાગ વિના કે કેપ વિના ભય ઉત્પન્ન જ ન થઈ શકે. ઈહલૌકિક અને પારલૌકિક ભયોની ભૂતાવળ વળગી હોય એટલે કપાયો એના પર “સવાર' થઈ જ જાય.
પરિગ્રહની સંજ્ઞામાં જકડાયેલા જીવોની તો કપાયો ઘોર કદર્થના કરતા હોય છે. સ્થાવર-જંગમ સંપત્તિને મેળવવા અને મેળવેલી સંપત્તિની સુરક્ષા કરવા મનુષ્ય શું નથી કરતો? ઈર્ષા, દ્વેષ... વૈર વગેરે તો એના જીવનમાં સહજસ્વાભાવિક જોવા મળશે. માયા, કપટ અને દગાખોરીમાં એને તમે પાવરધોએક્સપર્ટ' જોશો! માન અને સન્માનની તીવ્ર તાણ હંમેશાં એને સતાવતી રહેશે..... પરિગ્રહી મનુષ્ય કષાયી હોય જ! મિથુન સંજ્ઞા! સર્વ અનર્થોનું મૂળ! સર્વ વિનાશની ભયંકર ચિનગારી!
અબ્રહ્મના સેવનની સંજ્ઞા પ્રદિપ્ત થયા પછી જીવ શું કષાયથી બચી શકે? વાસનાની તૃપ્તિનું પાત્ર મેળવવાની ઝંખના લોભકષાય છે. એ પાત્ર સરળતાથી ન મળતાં, માયાથી-કપટથી કે ગમે તે ઉપાય મેળવવાની યોજના માયા છે. પાત્ર ન મળતાં અથવા વાસનાને તાબે નહીં થતાં પાત્ર પર ક્રોધ-રોષ અને રીસ આવી જવો સહજ છે, ને જ્યારે મનગમતું શ્રેષ્ઠ પાત્ર મળી જાય છે ત્યારે અભિમાન એને છોડતું નથી. આ રીતે મૈથુનસંજ્ઞાના સકંજામાં સપડાયેલો જીવ કષાયોથી કલુષિત બને જ.
તમે આઠ કર્મોને જાણો છો? તમે આઠ કર્મોના ક્રુર નિયંત્રણ નીચે છ-એ ગંભીર વાત તમે સમજ્યા છો? એ આઠ કર્મોનું નિયંત્રણ ચાર પ્રકારે જીવ ઉપર લદાયેલું હોય છે.
(૧) પૃષ્ઠ : આત્મપ્રદેશો સાથે કર્મોનું સામાન્ય મિલન જ. જેમ સોયમાં પરોવેલો દોરો!
(૨) બદ્ધ : આત્મપ્રદેશો સાથે કર્મોનું વિશિષ્ટ બંધન, જેમ અનેક સોયોને એક સાથે સજ્જડ બાંધી દેવામાં આવે, તેવી રીતે.
(૩) નિધત્ત ; આત્મા સાથે કમ જાણે એકમેક જેવા થઈ જાય! જેમ ગરમ કરેલી સીયો એકબીજાને ચોંટી જાય, તેમ.
For Private And Personal Use Only