Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 28
________________ શ્રી હીરસુરિજીએ પૂર્ણિમાના તપ માટે તેરસ અને ચૌદશ બન્નેને નિર્દેશ કર્યો છે. ઉત્તરમાં વપરાયેલ “કો -જંતુર્વઃ ”આ દ્વિવચનાન્ત શબ્દો ઉપરથી કેટલાક આવો અર્થ કાઢે છે કે “પૂર્ણિમાના ક્ષયે તેરસે ચૌદશ અને ચૌદશે પૂનમ કરવી’ પરન્તુ આ અર્થ કાઢો પ્રશ્નસંગત નથી, પ્રશ્ન એકલી પૂનમના તપને અંગે છે તેથી ઉત્તરમાં અપાયેલ વ્યવસ્થા પણ પૂનમના તપ સાથે જ સંગત હોઈ શકે, ઉત્તરના અન્તભાગમાં લખાયેલા “કાચાં વિકૃત તુ પ્રતિપત્તિ ” એ શબ્દોથી પણ ત્રાદશીમાં પૂનમના તપની જ વ્યવસ્થા છે એ સ્પષ્ટ થઈ જાય છે. પર્યુષણાની અઠાહિમાં તિથિની ઘટવધ થતાં કલ્પવાચના એક દિવસ પહેલાં પછી આવે તો પાક્ષિક અને કલ્પસંબધી છઠ કેવી રીતે કરવો?. આ પણ એક પ્રશ્ન હીરસૂરિજીને પૂછાયો છે, જેના શબ્દો નીચે પ્રમાણે છે – " तथा यदा चतुर्दश्यां कल्पो वाच्यते अमावस्यादिवृद्धौ अमावस्यायां प्रतिपदि वा कल्पो वाच्यते तदा षष्टतपः क्व विधेयम् ? ७ । (अत्रोत्तरभू ) तथा यदा चतुर्दश्यां कल्पो वाच्यते इत्याद्यत्र षष्ठतपोविधाने दिननैयत्यं नास्तीति यथारुचि तद्वि धीयतामिति कोऽत्राग्रहः । ७।" (શ્રી પ્રશ્ન છુ. ૪૨-૪૬ ) અર્થ– (પ્રશ્ન) જ્યારે ચૌદશના દિવસે કલ્પ વંચાય અથવા અમાવસ્યાંદિની વૃદ્ધિમાં અમાવસ્યા અથવા એકમના દિવસે કલ્પ વંચાય ત્યારે છઠ તપ કયાં કરવો ?, (ઉત્તર-) “જ્યારે ચૌદશે કલ્પ વંચાય” ઈત્યાદિ પ્રશ્નમાં પૂછેલ છઠ તપ કરવામાં દિવસનો નિયમ નથી, ઈચ્છાનુસાર ગમે તે બે દિવસોમાં છઠ કરે, એમાં કઈ આગ્રહ નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122