Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 62
________________ જણાવ્યું કે–“ઠીક છે, આ વખતે પંચમીને ક્ષય કરવો એજ અમને પણ ચોગ્ય લાગે છે.' ઉક્ત હકીકત સિનોર નિવાસી શ્રાવક મગનલાલ મેળાપચંદે કે જેઓ અનેપચંદભાઇના શિષ્ય ગણાતા. સં. ૧૯૮૧ ની સાલમાં છપાયેલ પ્રશ્નોત્તરરત્નચિન્તામણિ નામના ગ્રન્થમાં આપેલ શેઠ અનોપચંદભાઈના જીવનચરિત્રમાં નીચે પ્રમાણે જણાવી છે. સંવત ૧૯૫ર ની સાલમાં ભાદરવા સુદિ ૫ને ક્ષય હતો તે ઉપરથી અનુપભાઈએ શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી આત્મારામજી મહારાજને પૂછેલું કે ભાદરવા સુદ ૫ નો ક્ષય છે તો આખા પર્યષણની તિથિ ફેરવવી પડે છે તો પાંચમને ક્ષય કરિએ તો શું વાંધો છે ?, કારણ પાંચમની કરણ ચોથે થાય છે તે પછી આ વખતે બધા પર્યુષણ ફેરવવા એ ઠીક લાગતું નથી માટે આપનો અભિપ્રાય શું છે ?, તેનો જવાબ શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી આત્મારામજી મહારાજે એ આપ્યો કે પાંચમનો ક્ષય આ વખતે કરવો સારો છે, એવો જવાબ આવ્યો હતો અને ત્યાર બાદ ૧૯૫ર ના જેઠ મહીનામાં શ્રીમદ્ આચાર્ય મહારાજે કાળ કર્યો, ત્યારબાદ અનુપભાઈના વિચારમાં આવ્યું કે મહારાજે લખ્યું એ વ્યાજબી છે, એના વચન પ્રમાણે બને તો સારું છે અને એનું વચન કબુલ રાખવું એમ ધારી શ્રીમદ્ આચાર્ય મહારાજના શિષ્યના સમુદાયમાં આ બાબત લખી તેમનો અભિપ્રાય મંગાવ્યો. તેઓએ મહારાજના લખવા પ્રમાણે કરવા સમ્મતિ આપી. તેમની સમ્મતિ આવ્યા બાદ બીજા સાધુઓ તથા શ્રાવકને કાગળ લખી તેમને પૂછયું તે લોકો જવાબ લખે તેનો જવાબ પાછે લખી સમાધાન કરી તેઓના અભિપ્રાય એ પ્રમાણે કરવાને ઘણાને વિચાર આવ્યો વળી કેટલાક અમદાવાદના ભાઈઓ અને કેટલાક સાધુઓને વિચાર મલતો નહિ તે ઉપરથી શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી સિદ્ધિસૂરિજી છાણી મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122