Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 86
________________ ૨૬. પ્ર. પહેલાં કોઈ વખતે બે પાંચમાં પહેલી પાંચમને બીજી ચેથ માનીને સંવત્સરી કરવામાં આવ્યાનો દાખલો છે ખરો ? ઉ૦ પૂર્વે ભાદરવા શુદિ પંચમીની વૃદ્ધિમાં ચતુર્થીની વૃદ્ધિ કર્યાનો કોઈ પણ દાખલો નથી, કેમકે પૂર્વે પર્વની વૃદ્ધિએ પૂર્વતિથિની વૃદ્ધિ કરવાની રૂઢિ જ ન હતી તો એવો દાખલો મળે જ કયાંથી ? પ્ર. કેઈના કહેવા પ્રમાણે સં. ૧૮૪૨ અને ૧૯૦૫ની સાલમાં ભાદરવા શુદિ પાંચમો બે હતી અને પહેલી પાંચમને બીજી ચોથ માનીને સંવછરી કરી હતી, શું એ કથન સાચું છે? ઉ. એ કથનમાં કંઈ પણ પ્રમાણ નથી કે સંવત ૧૮૪૨ તથા ૧૯૦૫ માં ભાદરવા શુદિ ૫ બે હતી, કેમકે સં. ૧૭૭૦ થી ૧૮૯૫ સુધીમાં શ્રી ચંડૂપંચાંગમાં ફક્ત એક જ વાર ભાદરવા શુદિ પ ની વૃદ્ધિ થઈ હતી અને તે પણ સં. ૧૭૮૦માં. સં. ૧૯૦પમાં પણ બે પાંચમે ન હતી આથી જણાય છે કે જેઓ ૧૮૪૨ અને ૧૯૦૫ માં બે પાંચમો થયાનું કહે છે તે ચંડૂપંચાંગને અનુસાર નથી. ૨૮. પ્ર. ભાદરવા શુદિ ૪ નો ક્ષય હેય તે સંવછરી ક્યારે કરાય ? ઉ૦ ભાદરવા શુદિ ૪ નો ક્ષય હોય તો સંવછરી ભા. શુ. ૩ ના દિવસે કરવી, કેમકે ચોથ ત્રીજમાં ભળવાથી ત્રીજના દિવસે તેને ભોગવટે હોય છે. ૨૯. પ્ર. ભાદરવા શુદિ પ નો ક્ષય હોય તો સંવછરી જ્યારે કરાય ? ઉ ભા. શુ. ૫ નો ક્ષય હોય ત્યારે સંવછરી ભા. ૨. ૪ ના દિવસે જ કરાય, કેમકે તે દિવસે ઔદયિક ચોથ કાયમ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122