Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 93
________________ ૪૪. પ્ર. જ્યારે પહેલી પાંચમને બીજી ચોથ માનવામાં કોઈ શાસ્ત્રા ધાર કે વૃધ પરમ્પરાનો આધાર નથી તો ઘણા આચાર્યો પહેલી પાંચમે સંવછરી કરવાનો આગ્રહ શા માટે કરતા હશે? ઉ. આ આગ્રહનું કારણ શાસ્ત્ર--પ્રમાણ અથવા પરમ્પરા નથી પણ આ ખેંચતાણનું મૂલ કારણ આચાર્યોનું મનોમાલિ ન્ય છે, ગયા વર્ષે શ્રી વલ્લભસૂરિજીએ જેન પત્રમાં રવિવારે સંવષ્ણુરી કરવાને પ્રોગ્રામ બહાર પાડે અને તે પછી ડાજ વખતમાં મુંબઈ ખાતે શ્રી રામચન્દ્રસૂરિજી તરફથી શનિવારે સંવછરી કરવાનું જાહેર થયું. આ જાહેરાતને અર્થ શ્રી વલ્લભસૂરિજીને માનનાર વર્ગે ઉલટો કર્યો, એટલું જ નહિ પણ સામાન્ય જનસમુદાય પણ પ્રાય એમ જ સમજ્યો કે “રામવિજયજીને અને વલ્લભવિજયજીને આપસમાં વિરોધ હોવાથી વલ્લભવિજયજીની વાત તોડવા માટે રામવિજયજી શનિવારે સંવછરી કરવાનું કહે છે' આ પ્રકારની ગેરસમજ ફેલાવવામાં તેમના વિરોધી આચાર્યોએ પણ પૂરો ભાગ ભજવ્ય, શ્રી નેમિસૂરિજી અને શ્રી સાગરાનન્દસૂરિજી જે ઘણું વખતથી રામવિજયજીને નીચું દેખાડવાની તક જોઈ રહ્યા હતા આ વખતે વધારે સક્રિય થયા. શ્રી નેમિસૂરિજીએ મેસાણાની પાઠશાલાના મેનેજર અને શ્રી નીતિસૂરિજીના ભક્ત પં. પ્રભુદાસને રાધનપુર મોકલી અમદાવાદના પ્રતિષ્ઠિત આચાર્યોના ઠરાવના નામથી શ્રી નીતિસૂરિજીને રવિવાર–પક્ષમાં સ્થિર કર્યા, બીજે પણ જ્યાં જ્યાં એમનું ચલણ હતું ત્યાં માણસો મોકલીને રવિવાર પક્ષને મજબૂતી આપી અને શનિવારે સંવછરી કરનાર વર્ગ તેફાની છે, ન પંથ કાઢે છે આવી વાતોથી જેનસમાજને ભડકાવ્ય. આમ પરસ્પરના મનોમાલિન્યના કારણે જ આ વખતે શનિ-રવિ અને બુધ-ગુરૂના પક્ષ પડવ્યા છે, અન્યથા પૂર્વે જેમ પંચમીને ક્ષય ગણુને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122