Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 104
________________ ઉ૦ બિકુલ યોગ્ય નથી, કેમકે પ્રથમ તો બે પૂનમની બે તેરસો કરવાની રૂઢિ જ શાસ્ત્રીય નથી, માત્ર ચૌદશ પૂનમને છઠ કાયમ રાખવા માટે તે ચલાવી લેવાઈ છે, તો પછી તેના દાખલાથી બે ત્રીજે શી રીતે કરી શકાય છે, કારણ કે ચેથ પાંચમનો છઠ કરવાનો તો હતો નથી ?, આ પંચમી તો માત્ર તિથિ તરીકે જ આરાધવાની છે, તો પાંચમને સ્થાને ત્રીજ બે કરીને ચોથ પાંચમ જોડે રાખવા માટે આ ખોટી તિથિવૃદ્ધિ શા માટે કરવી જોઈએ ?, આજે મમતામાં પડીને ગુરૂવાર પક્ષ પંચમો-ભક્ત બન્યો છે, પણ ખરી રીતે તે પંચમીની આરાધના કરશે કે વિરાધના ? તેનો જે છાતી ઉપર હાથ મૂકીને તે પોતે જ વિચાર કરશે તો જણાયા વગર નહિ રહે કે તે આરાધ્ય પંચમીને સંવછરીને જોડે રાખી આરાધનાને બદલે આરંભ–સભારંભ કરીને તેની વિરાધના કરશે, ગુરૂવારી સંવછરીના આગ્રહવાલાએ ખરેખર જે પંચમીની આરાધનાની જ ચિતા કરતા હોય તો ચોથે જ સંવછરી કરે અને પહેલી પાંચમે પારણું કરી બીજી પાંચમે પંચમી તિથિની યથાર્થ રીતે આરાધના કરે. ૬૭. પ્ર. “પર્વતિથિની વૃદ્ધિમાં પૂર્વતિથિની વૃદ્ધિ કરવાનો રિવાજ શાસ્ત્રીય છે.’ એમ શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે તે શું બરાબર નથી , ઉ૦ સાગરજીનું ઉપર મુજબનું કથન કેવલ કપોલ–કલ્પિત છે, જે એ કથનમાં શાસ્ત્રાધાર હોય તે તેઓ કેમ બતાવતા નથી ? તત્ત્વતરંગિણ ગ્રન્થમાં પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ કરવાનો લેખ છે' એમ શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે તે શું સાચું નથી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122