Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 61
________________ સંબધમાં કેવી કેવી વિચિત્ર આશાઓ બહાર પાડતા હતા અને શ્રાવક વર્ગને જ નહિ સુવિહિત સાધુઓ સુધાંને તેમનું કથન માનવું પડતું હતું, આપણામાં “પર્વતિથિનો ક્ષય વૃદ્ધિ ન થાય, પૂનમઅમાવસ્યાની હાનિ-વૃદ્ધિમાં તેરસની હાનિવૃદ્ધિ કરવી' ઇત્યાદિ કેટલીક જે અઘટિત પ્રવૃત્તિઓ ચાલતી જોવાય છે તે આવા શ્રી પૂના જ પ્રતાપે ચાલેલી છે. આવી અગીતાર્થ અને અસુવિહિતોની પ્રવર્તાવેલી નિરાધાર રૂઢિઓ તે વખતે તેમનું પ્રાબલ્ય હોવાથી ભલે ચલાવી લીધી હોય પણ હવે પરમાર્થ જાણ્યા પછી તે ગાડરિયાપ્રવાહ રૂપે ચાલતી એ રૂઢિઓ છોડવી જ જોઈએ. (૮) સંવત્ ૧૯૫ર ની સાલથી સંવછરી સંબધી ઝગડાને સૂત્રપાત– જેમને ઈતિહાસની ખબર નથી તેઓ ગયા વર્ષથી આ ઝગડાની શરૂઆત થઈ માને છે અને તેનો દોષારોપ શનિવારે સંવછરો કરનાર વગ ઉપર મૂકે છે, પણ ખરી રીતે આ ઝગડાના સૂત્રપાત ૧૯૫ર ની સાલથી થયેલો છે અને એની શરૂઆત શ્રી આનન્દસાગરજી (આજના શ્રી સાગરાન્દસૂરિજી)ના હાથે થયેલી છે. સંવત ૧૯૫૨ ના વર્ષમાં ભાદરવા શુદિ ૫ નો ક્ષય હતો, સામાન્ય રીતે ૫ના ક્ષયમાં તે પહેલાની ચોથે પંચમીનું કૃત્ય કરી લેવાય છે પણ પર્યુષણ ચતુર્થી પછીની પંચમીને ક્ષય હોય તે શું કરવું? કેમકે તે પૂર્વેની ચોથ તો પંચમી કરતાં યે વિશેષ મહત્વની હોય છે. આવા પ્રકારની શંકા ઉત્પન્ન થતાં ભરૂચ નિવાસી વિદ્વાન શ્રાવક શ્રી અનુપચંદભાઈ મલકચંદે શ્રી વિજયાનન્દસૂરિજી (શ્રી આત્મારામજી) મહારાજને પૂછયું કે ભાદરવા સુદિ પંચમીના ક્ષય નિમિત્તે પર્યુષણુનો દિવસ આઘોપાછો કરવો એ મહને યોગ્ય લાગતું નથી, આપને એ વિષે શો અભિપ્રાય છે તે જણાવવા કૃપા કરશો? આ અનુપચંદભાઈના પ્રશ્નના ઉત્તરમાં મહારાજશ્રી આત્મારામજીએ ૧૧ના ઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122