Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 52
________________ ૩પ એટલે સં. ૧૯૨૯માં પણ ભાદરવા સુદિ ૧ ની વૃદ્ધિ હતી અને આ વખતે પણ શ્રી ધરણેન્દ્રસૂરિજીએ એકમને બદલે બે તેરસ કરવાનું જાહેર કરી દીધું હતું, પરિણામે તેમની માન્યતાના ખંડનમાં હેન્ડબિલો નિકલવા લાગ્યાં, એ હેડબિલ બાજીમાં કણ કણ ઉતરેલ તેને ચોક્કસ પત્તો તે નથી પણ શ્રી મુક્તિવિજયજી ગણિ (મૂલચંદજી મહારાજ ) અને સાગરગચ્છના તત્કાલીન વૃદ્ધ શ્રી પૂજ્ય શ્રી શાન્તિસાગરસૂરિજી આ બેનાં નામે જાણવામાં આવ્યાં છે, આમાં શ્રી મૂલચંદજી મહારાજનું હેડબિલ ડહેલાના ઉપાશ્રયમાં હોવાનું સાંભવ્યું છે પણ તે અમે જોયું નથી એટલે તે સંબધમાં વધુ લખાય તેમ નથી, પણ શ્રી શાન્તિસાગરસૂરિજીના હેડબિલને છાપેલો એક ભાગ આ વખતે અહારી સામે પડેલો છે, આમાં શ્રી ધરણેન્દ્ર સૂરિજીએ ગત વર્ષમાં પડવાને સ્થાને કરાવેલ બે તેરસના સંબન્ધમાં ટીકા કરી છે અને તેમની યુક્તિયોના એવા પ્રામાણિક રદિયા આપ્યા છે કે શ્રી ધરણેન્દ્રસૂરિજીથી તેનો વાસ્તવિક ઉત્તર આપી શકા નથી. - શ્રી શાન્તિસાગરસૂરિજીના હેડબિલનો પ્રારંભને થોડોક ભાગ અક્ષરશઃ નીચે આપીયે છીયે, વાંચકગણ જેશે કે વૃદ્ધ શ્રી પૂજ્યનું લખાણ કેટલું બધું યુક્તિપૂર્ણ અને સંયત ભાષામાં લખાયેલું છે– (૩) શ્રી શાન્તિસાગરજીનું હેડબિલ– “સ્વસ્ત શ્રી પાર્શ્વજીન પ્રણમ્ય, શ્રીમત ભટારક શ્રી શાંતિસાગર સુરીશ્વરજી આદેસાત લા. પં. વિમલસાગરજી તત્ર શ્રી...........જોગ લખવા કારણ એ છે જે આ વરસમાં ભાદરવા સુદ ૧ બે છે, ને ગઈ સાલમાં પણ એકમો બે હતી તે ઉપરથી ગઈ સાલમાં દેવસુરગચ્છના શ્રીજી વિજયધરણંદ્રસુરી પાટણમાં ચોમાસું હતા તે વખતે તેમણે શ્રી અમદાવાદ કાગળ લખે તેમાં લખ્યું હતું કે ભાદરવા શુદિ ૧ બે છે, પણ તમારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122