Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 35
________________ ૨૨ અર્થ – તિથિપાતમાં એટલે કે તિથિક્ષયમાં પૂર્વતિથિ (આરાધનામાં) ગ્રહણ કરવી અને વૃદ્ધિમાં ઉત્તર–એટલે ઉપરની તિથિ લેવી.” તત્ત્વતરંગિણના ઉક્ત વચનથી “તિથિના ક્ષયમાં પૂર્વતિથિ આરાધવી” એટલું જ માત્ર સિદ્ધ થાય છે, પણ પૂર્વ તિથિને ક્ષય કરવાનું કઈ રીતે સિદ્ધ થતું નથી. ૨-આજે કેટલાકે વીતિ ગયેલી પૂર્વતિથિનો ઉત્તરતિથિમાં આરેપ કરીને ઉત્તરતિથિને પૂર્વતિથિના નામે ઓળખાવે છે, દાખલા તરીદે ભાકવા શુદિ ૪ વીતિ જવા છતાં પ્રથમ પંચમીમાં તેનો આરોપ કરીને પંચમીને ચોથ તરીકે ઓળખાવે છે પણ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીની માન્યતા મુજબ વીતિ ગયેલી પૂર્વતિથિનો ઉત્તરતિથિમાં આરોપ કરવો તે મૃષાવાદ છે, જુઓ તેમનાં નીચેનાં વચન "किंच क्षीणपाक्षिकानुष्ठानं पौर्णमास्यामनुष्ठीयमानं किं पञ्चदश्यनुष्ठानं पाक्षिकानुष्ठानं वा व्यपदिश्यते ?, आद्ये पाक्षिकानुष्ठानविलोपापत्तिः, द्वितीये स्पष्टमेव मृषाभाषणं, पञ्चदश्या एव चतुर्दशीत्वेन व्यपदिश्यमानत्वात् ।' (તરવતort ૬) અર્થ -પૂનમે કરાતા અનુષ્ઠાનને પૂનમનું અનુષ્ઠાન કહેશે કે પાક્ષિકનું ?, જે પૂનમનું કહેશે તે પાક્ષિકનું અનુષ્ઠાન લોપાયું ગણાશે, અને જે તેને પાક્ષિકાનુષ્ઠાન કહેશો તો પૂનમનો જ ચૌદશ તરીકે વ્યપદેશ કરવાથી ખુલ્લું મૃષાભાષણ કર્યું ગણાશે.” પૂનમમાં ચૌદશ તરીકેને વ્યપદેશ કરવામાં “મૃષાભાષણ” શા કારણે કહેવાય છે તે નીચેના શબ્દોમાં જણાવે છે – ___" भवता तु त्रुटितचतुर्दशी पूर्णिमायां बुद्धयाऽऽरोप्याऽऽराध्यते, तस्यां तद्भोगगन्धाभावेऽपि तत्त्वेन स्वीक्रियमाणत्वात् । आरोपस्तु मिथ्याज्ञानम् ।" (तत्त्व० ५) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122