Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 6
________________ L: ૨ : વ્યવહાર નિગોદ આદિમાં એજ મહા મોહના ઉદયને લઇને અનંત પુદ્ગલપરાવર્ત વિતાવ્યા ! જેમાં કૃષ્ણપક્ષીય અમાસ જેવા મનુષ્યભવ પણ પામ્યા અને હારી ગયા. હવે આજે જો સર્વજ્ઞ-શાસનની પ્રાપ્તિ થઈ છે તો એથી આસન્નભવી બનીને પંચસૂત્રના મહા પ્રકાશથી પશુ જીવનને પાર કરી આ ઉત્તમભવને અજવાળીને પરમેશ્વરના શાસન- રજવાડામાં પ્રથમસૂત્રે બતાવેલ માર્ગનું આરાધન કરીએ, તો પાપનો ક્ષય કરી સહજાનંદી ગુણોના બીજનું ભોજન બનાય. ત્યાં સમ્યગ્દર્શનના શુક્લપક્ષીય પૂનમ-ચાંદની જેવા પ્રકાશમાં પુણ્યાનુબંધી પુણ્યોદય વધારતા જવાય, અને મોહનો ક્ષય થતાં અંતે મોક્ષની પૂર્ણિમા-ચંદ્ર પ્રકાશી ઉઠે. એ સામર્થ્ય આ સૂત્રમાં છે. સંસારી જીવોમાં મોટો ભાગ બાળ-અજ્ઞાન હોય છે. પરંતુ જે મધ્યમ કોટિના મધ્યસ્થ સત્યગવેષક જીવો છે, તેમાં ય અતિ અલ્પસંખ્યાક જીવો ગંભીર સ્યાદ્વાદસમુદ્રમાં ઊતરે છે. એમને પ્રારંભે ભલે નાની પણ શુક્લપક્ષીય બીજચંદ્રરેખાનો પ્રકાશઉદય થતાં એ આ પંચસૂત્રના સહારે પૂનમપ્રકાશરૂપે ઝળહળી બાહ્યાત્મામાંથી ઠેઠ પરમાત્મદશાએ પહોંચાડે છે. મૂળ પંચસૂત્ર રાજાની જેમ પંડિતોને આનંદ સાથે રક્ષણ આપે છે. આ. શ્રી હરિભદ્રસૂરિ જેવા મહાપ્રાશે એ “વૃત્તિ રચવાથી વ્યક્ત કર્યું. એના પરની વિવેચના “ઉચ્ચપ્રકાશના પંથે' મધ્યમ કોટિના જીવોને મંત્રની જેમ સમાધિ-હેતુ બને છે; અને એમાંનાં બાળ-ભોગ્ય દ્રષ્ટાંતો અજ્ઞાનીને પણ જ્ઞાની બનાવે એવા સૌભાગ્યવતી સ્ત્રીની શિખામણ જેવા છે. દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ વગેરે અનુયોગમાં સમર્થ આચાર્યોએ અનેક શાસ્ત્રો રચ્યા; તેમાં જેમ ‘તત્ત્વાર્થાધિગમ' મહાશાસ્ત્ર અતિગંભીરરૂપે પ્રખ્યાત છે, એમ આ “પંચસૂત્ર” પણ તેની તુલના કરે એવું છે; એ વસ્તુ સમર્થ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીની વૃત્તિ કહે છે, પ્રdવનસાર Uષ સ ળિયા-યોતિ અર્થાત સમગ્રં આહત શાસ્ત્રોનો સાર આ પંચસૂત્ર છે, કેમકે એમાં સમ્યગ જ્ઞાનક્રિયાનો ખજાનો સંક્ષેપમાં ભર્યો છે. “ગીતા' જેવા શાસ્ત્ર ગંભીર છતાં ગીતાનો એ ઉપદેશ શા માટે યોજાયો અને એનું પરિણામ શું આવ્યું એ જોતાં વિષયાસક્તિ અને કષાયની વૃદ્ધિ થવાનું દેખાય છે, કે જે સંસારવર્ધક છે; ત્યારે આ પંચસૂત્ર' માં કેવળ પાપક્ષય અને અસંક્લિષ્ટ અને ગુણાધાયક પુણ્યવૃદ્ધિ દ્વારા મોક્ષ પમાડવાનો જ હેતુ છે, અજ્ઞાન-અવિરતિનો નાશ કરી ભવરોગ મટાડવાની રાસાયણિક ચિકિત્સા છે. આ સૂત્રમાં હેતુ-હેતુમભાવ અવ્યાબાધ વધે જાય છે. પૂર્વ પૂર્વના સૂત્રવચનોનો ભાવ આત્મસાત્ બનતાં એ જીવનનો સુધારો કરતો કરતો ઉત્તરોત્તર સૂત્રપંક્તિઓના વિષયને અવકાશ આપતો જાય છે. એમ આ સૂત્ર ક્રમબદ્ધ વ્યવસ્થિત જીવનશુદ્ધિ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 122