Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________
(૪) એથું પ્રમાણ અંગપ્રવિષ્ટ અને અંગબાઘનની વ્યાખ્યાઓ વિષેનું તેજ ટીપ્પણમાં ટાંકવામાં આવ્યું છે, તેની આ ગાથા છે.
गणहर-थेरकयं वा आएसा मुक्कवागरणओवा । धुव-चल विसेसओवा अंगा-गंगेसु नाणतं ॥
पि० आ० मा० गा० ५५० प० २९८ । આ ગાથામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યકૃતની ત્રણ વ્યાખ્યાઓ છે, અને આ વ્યાખ્યાઓ શબ્દાત્મક મૃતને લાગુ પડતી હોવાથી તેજ આવશ્યસૂત્રના કર્તાનો સમય નિર્ણય કરવામાં વધારે બહેકે ખાસ ઉપયોગી છે. તેથી એ વ્યાખ્યા વિષેની પ્રસ્તુત ભાષ્ય, ગાથા અને તેના ઉપરની મલધારીશ્રીકૃત ટીકા એ દરેકનો, આ સ્થલે પ્રસ્તુત પ્રશ્ન પરત્વે જરા વિસ્તારથી ઉહાપોહ કરી લેવો જરૂરનો છે.
વિશેષ આવશ્યક ભાષ્યના પ્રણેતા શ્રી જિનભદ્રગણિ ક્ષમશ્રમણ તત્વાર્થ ભાષ્યના પ્રણેતા વાચકશ્રી ઉમાસ્વાતિના પછી થયેલા છે, એટલે વાચકશ્રી સામે એ ભાષ્ય નહિ, પણ તેને મૂળભૂત ગ્રંથ (આવશ્યકનિર્યુક્તિ) હતો; તે વખતની આવશ્યક નિર્યુક્તિની કોઈ પ્રાચીન વ્યાખ્યા અગર તો તે વખતની ચાલુ અર્થપરંપરા વાચકશ્રી સામે હતી એમ માનવું જોઈએ. આવશ્યકનિર્યુક્તિની પ્રસ્તુત ગાથા આ પ્રમાણે છે:
अक्खरसण्णीसम्म साइयं खलु सगज्जवसियं च । गमियं अंगपविठं सत्त वि एए सपडिवक्खा ॥
વિ. સા. માત્ર ૦ ૪૬૪ g૦ ર૧૨ ! ઉપર્યુક્ત મૂલગાથામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યશ્રતને નિર્દેશ છે; તે ગાયાની તે વખતની કેાઈ પ્રાચીન વ્યાખ્યા અગર ચાલુ અર્થપરંપરાને આધારેજ વાચકશ્રીએ પિતાના શ્રી સ્વાર્થસૂત્રના ભાષ્યમાં અંગપ્રષ્ટિ અને અંગબાહ્ય વિવેક કરેલ છે જોઈએ, અથવા તે ઓછામાં ઓછું એ વિવેક કરતી વખતે આવ
(૪૭)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com