Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________
આથી ઉલટું તેમની એક શિષ્ય પરંપરા જે ઉતર હિંદમાં રહી અને જે આગળ જતાં મોટે ભાગે વેતાંબર સંપ્રદાયમાં પરિણામ પામી તેણે પણ પિતાના ગુરૂની કૃતિ બીજા પ્રત્યેની સાથે સંભાળી રાખી; આમ વેતાંબર સંપ્રદાયની અવિચ્છિન્ન સાધુપરંપરાએ માત્ર મૂલ આવશ્યક સૂત્ર નહિ પરંતુ તેની નિર્ય ક્તિને પણ સંરક્ષિત રાખવાનું પુણ્યકાર્ય કરવા ઉપરાન્ત તેના પર અનેક મોટા મોટા ટીકાગ્રન્થ લખ્યા. અને તે દ્વારા તાત્કાલીન આચારવિચારને એ એક પ્રામાણિક સંગ્રેડ બનાવી મૂકે કે જે આજે પણ જૈનધર્મના અસલ રૂપને ભિન્ન કિન્ન રૂપે જોવાના અનેક પ્રબળ સાધન છે.
હવે પ્રશ્ન એ છે કે દીગબર સંપ્રદાયનાં જેમ નિર્યુક્તિને . અંશ પ્રાપ્ત થાય છે એમ મૂલ આવશ્યક મળે છે કે નહિ ? આજ' સુધીમાં તે સંપ્રદાયની આવશ્યકક્રિયાના બે ગ્રન્થ જોવામાં આવ્યા છે, જેમાં એક છપાયેલે અને બીજો હસ્તલિખિત છે. બન્નેમાં સામાયિક તેમજ પ્રતિક્રમણના પાઠ છે, જે પાઠનો એ ભાગ સંસ્કૃત છે તે મૌલિક નથી; જે ભાગ પ્રાકૃત છે તેમાં પણ નિર્યુક્તિના આધારે મૌલિક સિદ્ધ થતા આવશ્યક સૂત્રને ભાગ બહુ ઓછા છે; અને જેટલું મૂલ ભાગ છે તે પણ વેતાંબર સંપ્રદાયમાં પ્રચલિત મૂલ પાઠની અપેક્ષાએ કાંઈક ન્યાધિક અને કાંઈક રૂપાંતરિત થયેલે પણ જણાય છે.
“નપુર, મિત્ત, ઢોરસ, તાવ, અન્નગ્ધ, जो मे देवसिओ अइआरो की, इरियावहिआए, चत्तारिमंगलं, पडिकमामि एगबिहे, इणमेव निग्गन्थ पाषयणं । તથા ફરિસાના સ્થાનાપન અર્થત શ્રાવક ધર્મ સંબંધી સમ્યકૂવ, બારવ્રત, સંલેખના આદિના અતિચારના પ્રતિક્રમણનાં ગદ્ય :
( ૩ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com